ચક્રવાત સક્રિય થતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-06 11:24:21

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાને કારણે હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતી તૂફાનની આશંકા વ્યક્ત કરી છે. જેને કારણે તમિલનાડુ, પોંડુચેરી, અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.


અનેક શહેરોમાં તૈનાત કરાઈ NDRFની ટીમ 

ચક્રવાતને લઈ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ અંડમાન સાગરમાં પ્રેશર સર્જાતા વરસાદી માહોલ જામ્યો છે. ખરાબ હવામાન વિભાગ હોવાને કારણે હવામાન વિભાગે મચ્છુઓને અને દરિયાખેડુઓને દરિયા ખેડવાની ના પાડી છે. તમિલનાડુમાં ભારે વરસાદ થવાને કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. 

એનડીઆરએફ News in Gujarati, Latest એનડીઆરએફ news, photos, videos | Zee News  Gujarati

અનેક રાજ્યોમાં ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને નાગપટ્ટિમ, તંજાવુર, તિરૂવરૂર, કુડ્ડાલોર, માઈલાદુથુરાઈ, અને ચેન્નઈમાં મુકાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સાત ડિસેમ્બરે તમિલનાડુ, અને પુડુચેરીમાં વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે સાથે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાની શરૂઆત થઈ છે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.