ચક્રવાત સક્રિય થતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-06 11:24:21

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાને કારણે હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતી તૂફાનની આશંકા વ્યક્ત કરી છે. જેને કારણે તમિલનાડુ, પોંડુચેરી, અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.


અનેક શહેરોમાં તૈનાત કરાઈ NDRFની ટીમ 

ચક્રવાતને લઈ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ અંડમાન સાગરમાં પ્રેશર સર્જાતા વરસાદી માહોલ જામ્યો છે. ખરાબ હવામાન વિભાગ હોવાને કારણે હવામાન વિભાગે મચ્છુઓને અને દરિયાખેડુઓને દરિયા ખેડવાની ના પાડી છે. તમિલનાડુમાં ભારે વરસાદ થવાને કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. 

એનડીઆરએફ News in Gujarati, Latest એનડીઆરએફ news, photos, videos | Zee News  Gujarati

અનેક રાજ્યોમાં ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને નાગપટ્ટિમ, તંજાવુર, તિરૂવરૂર, કુડ્ડાલોર, માઈલાદુથુરાઈ, અને ચેન્નઈમાં મુકાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સાત ડિસેમ્બરે તમિલનાડુ, અને પુડુચેરીમાં વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે સાથે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાની શરૂઆત થઈ છે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.