ચક્રવાત સક્રિય થતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-06 11:24:21

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાને કારણે હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતી તૂફાનની આશંકા વ્યક્ત કરી છે. જેને કારણે તમિલનાડુ, પોંડુચેરી, અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.


અનેક શહેરોમાં તૈનાત કરાઈ NDRFની ટીમ 

ચક્રવાતને લઈ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ અંડમાન સાગરમાં પ્રેશર સર્જાતા વરસાદી માહોલ જામ્યો છે. ખરાબ હવામાન વિભાગ હોવાને કારણે હવામાન વિભાગે મચ્છુઓને અને દરિયાખેડુઓને દરિયા ખેડવાની ના પાડી છે. તમિલનાડુમાં ભારે વરસાદ થવાને કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. 

એનડીઆરએફ News in Gujarati, Latest એનડીઆરએફ news, photos, videos | Zee News  Gujarati

અનેક રાજ્યોમાં ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને નાગપટ્ટિમ, તંજાવુર, તિરૂવરૂર, કુડ્ડાલોર, માઈલાદુથુરાઈ, અને ચેન્નઈમાં મુકાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સાત ડિસેમ્બરે તમિલનાડુ, અને પુડુચેરીમાં વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે સાથે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાની શરૂઆત થઈ છે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.