ચક્રવાત સક્રિય થતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-06 11:24:21

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાને કારણે હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતી તૂફાનની આશંકા વ્યક્ત કરી છે. જેને કારણે તમિલનાડુ, પોંડુચેરી, અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.


અનેક શહેરોમાં તૈનાત કરાઈ NDRFની ટીમ 

ચક્રવાતને લઈ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ અંડમાન સાગરમાં પ્રેશર સર્જાતા વરસાદી માહોલ જામ્યો છે. ખરાબ હવામાન વિભાગ હોવાને કારણે હવામાન વિભાગે મચ્છુઓને અને દરિયાખેડુઓને દરિયા ખેડવાની ના પાડી છે. તમિલનાડુમાં ભારે વરસાદ થવાને કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. 

એનડીઆરએફ News in Gujarati, Latest એનડીઆરએફ news, photos, videos | Zee News  Gujarati

અનેક રાજ્યોમાં ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને નાગપટ્ટિમ, તંજાવુર, તિરૂવરૂર, કુડ્ડાલોર, માઈલાદુથુરાઈ, અને ચેન્નઈમાં મુકાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સાત ડિસેમ્બરે તમિલનાડુ, અને પુડુચેરીમાં વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે સાથે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાની શરૂઆત થઈ છે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.