ગુજરાતમાં મેઘો અનરાધાર! અનેક જિલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ, જાણો આજ માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-11 13:04:21

ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થયું છે ત્યારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભલે થોડા દિવસો વરસાદ વિરામ લે છે પરંતુ જ્યારે પણ આવે છે ત્યારે ધોધમાર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ઈડરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તે બાદ તલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વધી રહેલા વરસાદને કારણે અનેક નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા નદીનું જળસ્તર પણ વધતું જઈ રહ્યું છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. 



193 તાલુકાઓમાં વરસ્યો વરસાદ 

જે સિઝનની દરેક વ્યક્તિ રાહ જોતા હોય તેવા ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક જગ્યાઓથી નયનરમ્ય દ્રશ્યો સામે આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકાઓ એવા છે જ્યાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 46 તાલુકાઓ એવા છે જ્યાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 93 તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે. 


આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ ચોમાસુ એક દિવસ માટે વિરામ લેશે. પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી મુજબ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી શકે છે. 13 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત માટે 15,16 તેમજ 17 જુલાઈ ભારે છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.