ગુજરાતમાં મેઘો અનરાધાર! અનેક જિલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ, જાણો આજ માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-11 13:04:21

ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થયું છે ત્યારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભલે થોડા દિવસો વરસાદ વિરામ લે છે પરંતુ જ્યારે પણ આવે છે ત્યારે ધોધમાર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ઈડરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તે બાદ તલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વધી રહેલા વરસાદને કારણે અનેક નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા નદીનું જળસ્તર પણ વધતું જઈ રહ્યું છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. 



193 તાલુકાઓમાં વરસ્યો વરસાદ 

જે સિઝનની દરેક વ્યક્તિ રાહ જોતા હોય તેવા ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક જગ્યાઓથી નયનરમ્ય દ્રશ્યો સામે આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકાઓ એવા છે જ્યાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 46 તાલુકાઓ એવા છે જ્યાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 93 તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે. 


આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ ચોમાસુ એક દિવસ માટે વિરામ લેશે. પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી મુજબ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી શકે છે. 13 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત માટે 15,16 તેમજ 17 જુલાઈ ભારે છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.