ગુજરાતમાં મેઘો અનરાધાર! અનેક જિલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ, જાણો આજ માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-11 13:04:21

ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થયું છે ત્યારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભલે થોડા દિવસો વરસાદ વિરામ લે છે પરંતુ જ્યારે પણ આવે છે ત્યારે ધોધમાર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ઈડરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તે બાદ તલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વધી રહેલા વરસાદને કારણે અનેક નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા નદીનું જળસ્તર પણ વધતું જઈ રહ્યું છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. 



193 તાલુકાઓમાં વરસ્યો વરસાદ 

જે સિઝનની દરેક વ્યક્તિ રાહ જોતા હોય તેવા ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક જગ્યાઓથી નયનરમ્ય દ્રશ્યો સામે આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકાઓ એવા છે જ્યાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 46 તાલુકાઓ એવા છે જ્યાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 93 તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે. 


આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ ચોમાસુ એક દિવસ માટે વિરામ લેશે. પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી મુજબ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી શકે છે. 13 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત માટે 15,16 તેમજ 17 જુલાઈ ભારે છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.