ગુજરાતમાં મેઘો અનરાધાર! અનેક જિલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ, જાણો આજ માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-11 13:04:21

ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થયું છે ત્યારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભલે થોડા દિવસો વરસાદ વિરામ લે છે પરંતુ જ્યારે પણ આવે છે ત્યારે ધોધમાર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ઈડરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તે બાદ તલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વધી રહેલા વરસાદને કારણે અનેક નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા નદીનું જળસ્તર પણ વધતું જઈ રહ્યું છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. 



193 તાલુકાઓમાં વરસ્યો વરસાદ 

જે સિઝનની દરેક વ્યક્તિ રાહ જોતા હોય તેવા ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક જગ્યાઓથી નયનરમ્ય દ્રશ્યો સામે આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકાઓ એવા છે જ્યાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 46 તાલુકાઓ એવા છે જ્યાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 93 તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે. 


આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ ચોમાસુ એક દિવસ માટે વિરામ લેશે. પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી મુજબ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી શકે છે. 13 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત માટે 15,16 તેમજ 17 જુલાઈ ભારે છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.