રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-07 15:01:22

રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર થઈ રહી છે, રાજ્યના વિવિધ ભાગોમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. 


આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યે કરેલી આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દોહાદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ


ગત 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 28 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.


સુરતમાં આજે યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદની બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વરસાદને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી વહેલી સવારથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.