રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-07 15:01:22

રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર થઈ રહી છે, રાજ્યના વિવિધ ભાગોમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. 


આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યે કરેલી આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દોહાદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ


ગત 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 28 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.


સુરતમાં આજે યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદની બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વરસાદને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી વહેલી સવારથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.