રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-07 15:01:22

રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર થઈ રહી છે, રાજ્યના વિવિધ ભાગોમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. 


આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યે કરેલી આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દોહાદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ


ગત 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 28 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.


સુરતમાં આજે યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદની બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વરસાદને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી વહેલી સવારથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.