રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-07 15:01:22

રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર થઈ રહી છે, રાજ્યના વિવિધ ભાગોમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. 


આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યે કરેલી આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દોહાદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ


ગત 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 28 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.


સુરતમાં આજે યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદની બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વરસાદને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી વહેલી સવારથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.