સાચી પડી હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 17:17:15

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. કાળા વાદળોએ આકાશને ઢાંકી દીધા હતા, જેને કારણે બપોરના સમયે સાંજ જેવું અંધારુ છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

મેઘરાજાની પધરામણીથી પ્રસરી ઠંડક

ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના વસ્ત્રાપુર, થલતેજ, વટવા, રામોલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો. કે.કે.નગર, સરખેજ, જુહાપૂરા, નારણપુરા, ઈસ્કોન,પ્રહલાદનગર વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

કાલે પણ જામ્યો હતો વરસાદી માહોલ

વરસાદની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. કાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. બલોલનગર,અખબારનગર,વસ્ત્રાપુર,રાણીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

વાહનો બંધ થતા વાહનચાલકો ફસાયા

દર વખતની જેમ વરસાદનું ઝાપટું આવતા અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયો હતો. તેમજ અનેક જગ્યાએ પાણીમાંથી વાહનો ચલાવવા પડતા હતા. જેને કારણે વાહનમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.