સાચી પડી હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 17:17:15

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. કાળા વાદળોએ આકાશને ઢાંકી દીધા હતા, જેને કારણે બપોરના સમયે સાંજ જેવું અંધારુ છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

મેઘરાજાની પધરામણીથી પ્રસરી ઠંડક

ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના વસ્ત્રાપુર, થલતેજ, વટવા, રામોલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો. કે.કે.નગર, સરખેજ, જુહાપૂરા, નારણપુરા, ઈસ્કોન,પ્રહલાદનગર વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

કાલે પણ જામ્યો હતો વરસાદી માહોલ

વરસાદની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. કાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. બલોલનગર,અખબારનગર,વસ્ત્રાપુર,રાણીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

વાહનો બંધ થતા વાહનચાલકો ફસાયા

દર વખતની જેમ વરસાદનું ઝાપટું આવતા અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયો હતો. તેમજ અનેક જગ્યાએ પાણીમાંથી વાહનો ચલાવવા પડતા હતા. જેને કારણે વાહનમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.