સાચી પડી હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 17:17:15

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. કાળા વાદળોએ આકાશને ઢાંકી દીધા હતા, જેને કારણે બપોરના સમયે સાંજ જેવું અંધારુ છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

મેઘરાજાની પધરામણીથી પ્રસરી ઠંડક

ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના વસ્ત્રાપુર, થલતેજ, વટવા, રામોલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો. કે.કે.નગર, સરખેજ, જુહાપૂરા, નારણપુરા, ઈસ્કોન,પ્રહલાદનગર વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

કાલે પણ જામ્યો હતો વરસાદી માહોલ

વરસાદની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. કાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. બલોલનગર,અખબારનગર,વસ્ત્રાપુર,રાણીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Gujarat rain: Schools, colleges shut in Ahmedabad, several cities  waterlogged; very heavy downpour on forecast | India News – India TV

વાહનો બંધ થતા વાહનચાલકો ફસાયા

દર વખતની જેમ વરસાદનું ઝાપટું આવતા અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયો હતો. તેમજ અનેક જગ્યાએ પાણીમાંથી વાહનો ચલાવવા પડતા હતા. જેને કારણે વાહનમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.