ગુજરાતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ બિપોરજોયનું સંકટ, ધોધમાર વરસાદે 28 લોકોનો લીધો ભોગ


  • Published By :
  • Published Date : 2023-06-11 19:28:18

1. જોહાનિસબર્ગમાં ભૂકંપનો આંચકો

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.. જોહાનિસબર્ગના ગાઉટેન્ગ પ્રાંતમાં રવિવારે પરોઢિયે અઢી વાગ્યાની આસપાસ ધરતી ધ્રુજી ઉઠી હતી.. મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થતા લોકો બહાર દોડી આવ્યા હતા.. અને સોશિયલ મીડિયા પર ભૂકંપના વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે.. 


2. બિપરજોયે પાકિસ્તાનમાં મચાવી તબાહી

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જેમ ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં વરસાદ પડ્યો છે.. તેમ પાકિસ્તાનમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.. પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા અને પંજાબ પ્રાંતમાં ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા.. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 28 લોકોના મોત થઇ ચૂક્યા છે.. અને 140 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાને કારણે અંધારપટ સર્જાયો હતો.. શાહબાઝ સરકારે અધિકારીઓને રાહત કામગીરી સતત ચાલુ રાખવાના આદેશ આપ્યા છે.. 


3. બોરિસ જોન્સને સાંસદ પદેથી રાજીનામું આપ્યું

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને ઓચિંતા જ સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું.. બોરિસ જોન્સન સામે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પીએમ ઓફિસમાં પાર્ટી કરવાનો આરોપ છે.. બ્રિટનમાં વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં બોરિસ  જોન્સનના 56મા જન્મદિવસ નિમિત્તે તેમના પત્નીએ વાઇનપાર્ટીનું આયોજન કર્યું હતું..જેમા બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત અનેક મોટા નેતાઓ  હાજર હતા.. બ્રિટનની સંસદમાં આ મામલો ખૂબ ગાજ્યો અને બોરિસ જોન્સનની આકરી ટીકા કરવામાં આવી..આ ઉપરાંત આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ સબમિટ કરેલા રિપોર્ટને કારણે બોરિસ જોન્સને સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે.. 


4. પ્લેન ક્રેશનો ભોગ બનેલા બાળકો જીવતા મળ્યા

અમેરિકામાં એક ચમત્કાર સમાન ઘટના બની છે..  એમેઝોનના જંગલોમાં પ્લેન ક્રેશ થયાના 40 દિવસ બાદ 4 બાળકો જીવતા મળી આવ્યા છે..  આ ચારેય બાળકો એક જ પરિવારના ભાઇબહેન છે.. પહેલી મેના રોજ અમેરિકામાં પ્લેન ક્રેશની ઘટના બની હતી જેમાં વિમાન ક્રેશ થઇને એમેઝોનના જંગલોમાં પડ્યું હતું.. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 3 લોકોના મોત થયા છે.. આ બાળકોની માતાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.. ઘટનામાં તમામ મૃતકોની માહિતી મળી ગઇ હતી પરંતુ 4 બાળકો લાપતા થયા હોવાની વિગતો મળી  હતી.. જે પછી અધિકારીઓએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરતા 40 દિવસ પછી આ બાળકો જીવતા મળી આવ્યા


5. ટ્રમ્પ સામે 37 ગુના નોંધાયા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલીક ખાનગી માહિતી ધરાવતા ક્લાસિફાઇડ દસ્તાવેજો પોતાની સાથે લઇ જવાનો આરોપ  છે.. જેમાં તેમની સામે FBIએ 37 ગુના નોંધ્યા છે.. BBCના એક રિપોર્ટ અનુસાર 49 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. જેમાં કહેવાયું છે કે ટ્રમ્પે કાગળિયા તેના બાથરૂમમાં, શાવર સ્પેસ, ઓફિસ,  સ્ટોર રૂમ સહિતની જગ્યાઓએ છુપાવ્યા હતા.. તો તેમના વકીલોને કહીને ટ્રમ્પે કેટલાક કાગળિયાનો બારોબાર નાશ પણ કરી દીધો હતો.. 


6. અમેરિકા પર જાસૂસી માટે ચીને કર્યો ક્યુબાનો ઉપયોગ

ચીન લેટિન અમેરિકાના દેશ ક્યુબામાં ઇન્ટેલિજન્સ બેઝ  બનાવવા જઇ રહ્યું છે.. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.. કે ચીને ક્યુબાને કેટલાક અબજ ડોલરની મદદ કરી છે.. અને તેના બદલામાં ચીન ક્યુબામાં એક પ્રકારનું ગુપ્તચર સ્ટેશન ડેવલપ કરી રહ્યુ છે.. આ જે પ્રદેશ છે ક્યુબાનો તેના પર અમેરિકાના સૈન્ય મથકો આવેલા છે.. આ પ્રદેશ ફ્લોરિડા રાજ્યથી 160 કિમીના અંતરે આવેલું છે.. જો કે ક્યુબાના વિદેશમંત્રીએ આ અહેવાલોને નકારી દીધા છે.. તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રવક્ત જોન કિર્બીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાનું વહીવટીતંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.. અમેરિકા અને ક્યુબાના સંબંધો વર્ષ 1959થી બગડેલા છે.. અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન ક્યુબા રશિયાનો સાથ આપ્યો હતો.રશિયાએ ક્યુબામાં પોતાના સૈન્ય મથકો પણ સ્થાપ્યા હતા.. હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે તાઈવાન અને જાસૂસી બલૂનના કારણે વિવાદ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ક્યુબામાં ઈન્ટેલિજન્સ સ્ટેશન બને તો બંને વચ્ચેના સંબંધોને વધુ બગડે તેવી શક્યતાઓ છે


7. આકરા તાપથી સૈનિકો થયા બેભાન

બ્રિટનમાં કિંગ ચાર્લ્સના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ટ્રુપિંગ ધ કલર સેરેમની યોજાય છે.. આ સેરેમનીમાં એક પરેડનું આયોજન થાય છે.. પરેડના રિહર્સલ દરમિયાન કેટલાક બ્રિટિશ સૈનિકો આકરા તાપને કારણે બેભાન થઇ ગયા હતા.. 88 ડિગ્રી ફેરનહીટ તાપમાનમાં પરેડનું રિહર્સલ ચાલી રહ્યું હતું.. કિંગ ચાર્લ્સના પુત્ર પ્રિન્સ વિલિયમ પણ ત્યાં હાજર હતા અને તેમની સામે જ સૈનિકો ભીષણ ગરમીમાં વૂલન યુનિફોર્મ અને રીંછની ચામડીની બનેલી કેપ્સ પહેરીને પ્રેકટિસ કરી રહ્યા હતા..3 સૈનિકો બેભાન થયા બાદ પણ રિહર્સલ ત્યાં ચાલતું રહ્યું.. આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.. 


8. કેનેડામાં ધરણાં કરી રહેલા વિદ્યાર્થીઓને રાહત

કેનેડામાં એજન્ટની દગાખોરીનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓનો મામલો કેનેડાની સંસદમાં ચર્ચાયો હતો.. બ્રેમ્પટન, મિસીસૌગા સહિત કેનેડાનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ ધરણાં-પ્રદર્શન કરી રહ્યા છે.. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક અપાશે.. અને પૂરી તપાસ ન થાય ત્યાં સુધી તેમને ભારત ડિપોર્ટ નહિ કરાય..


9. સાન ફ્રાન્સિસ્કોમાં અંધાધૂંધ ફાયરિંગ

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે.. સાન ફ્રાન્સિસ્કોના મિશન ડિસ્ટ્રીક્ટમાં એક પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હતું.. આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ ઉપરાંત કેન્સાસ સિટીમાં પણ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરા પાસે ફાયરિંગની ઘટનામાં 2 લોકોના મોત થયા છે.. 


10. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પણ ફાયરિંગ

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પણ ફાયરિંગની ઘટના બની છે.. જેમાં એક 15 વર્ષીય  છોકરાનું મોત થયું હતું..અને 2 લોકોને ઇજા થઇ છે. .આરોપી હુમલો કરીને ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરતા તે ઝડપાઇ ગયો હતો..  પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ  ધરી છે..



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી