મહારાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:56:18

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકોને ભારે વરસાદને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેટલો વરસાદ ત્યાં વરસ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિની મોત પણ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસો માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

  

અનેક જગ્યાઓ પર ભરાયા પાણી

ચોમાસાએ ભલે આ વખતે મોડી એન્ટ્રી કરી છે પરંતુ ધમાકેદાર બેટિંગ કરી છે. કોઈ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પહેલા જ વરસાદી માહોલ જામ્યો હતો. આસામમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો તો એવા હતા કે ડૂબી ગયા હતા. ત્યારે વરસાદને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે.         


વૃક્ષ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વધતા વરસાદને કારણે પાણી કાપનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. દુર્ઘટનાને કારણે અનેક લોકોના પણ મોત થયા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના આ નવ જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ જોરથી સક્રિય થશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે અને અત્યંત મુશળધાર વરસાદની અનુમાન છે. ભારે વરસાદને કારણે બીએમસી દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.