મહારાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:56:18

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકોને ભારે વરસાદને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેટલો વરસાદ ત્યાં વરસ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિની મોત પણ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસો માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

  

અનેક જગ્યાઓ પર ભરાયા પાણી

ચોમાસાએ ભલે આ વખતે મોડી એન્ટ્રી કરી છે પરંતુ ધમાકેદાર બેટિંગ કરી છે. કોઈ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પહેલા જ વરસાદી માહોલ જામ્યો હતો. આસામમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો તો એવા હતા કે ડૂબી ગયા હતા. ત્યારે વરસાદને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે.         


વૃક્ષ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વધતા વરસાદને કારણે પાણી કાપનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. દુર્ઘટનાને કારણે અનેક લોકોના પણ મોત થયા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના આ નવ જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ જોરથી સક્રિય થશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે અને અત્યંત મુશળધાર વરસાદની અનુમાન છે. ભારે વરસાદને કારણે બીએમસી દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.