મહારાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:56:18

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકોને ભારે વરસાદને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેટલો વરસાદ ત્યાં વરસ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિની મોત પણ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસો માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

  

અનેક જગ્યાઓ પર ભરાયા પાણી

ચોમાસાએ ભલે આ વખતે મોડી એન્ટ્રી કરી છે પરંતુ ધમાકેદાર બેટિંગ કરી છે. કોઈ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પહેલા જ વરસાદી માહોલ જામ્યો હતો. આસામમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો તો એવા હતા કે ડૂબી ગયા હતા. ત્યારે વરસાદને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે.         


વૃક્ષ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વધતા વરસાદને કારણે પાણી કાપનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. દુર્ઘટનાને કારણે અનેક લોકોના પણ મોત થયા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના આ નવ જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ જોરથી સક્રિય થશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે અને અત્યંત મુશળધાર વરસાદની અનુમાન છે. ભારે વરસાદને કારણે બીએમસી દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.