મહારાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:56:18

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકોને ભારે વરસાદને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેટલો વરસાદ ત્યાં વરસ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિની મોત પણ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસો માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

  

અનેક જગ્યાઓ પર ભરાયા પાણી

ચોમાસાએ ભલે આ વખતે મોડી એન્ટ્રી કરી છે પરંતુ ધમાકેદાર બેટિંગ કરી છે. કોઈ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પહેલા જ વરસાદી માહોલ જામ્યો હતો. આસામમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો તો એવા હતા કે ડૂબી ગયા હતા. ત્યારે વરસાદને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે.         


વૃક્ષ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વધતા વરસાદને કારણે પાણી કાપનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. દુર્ઘટનાને કારણે અનેક લોકોના પણ મોત થયા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના આ નવ જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ જોરથી સક્રિય થશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે અને અત્યંત મુશળધાર વરસાદની અનુમાન છે. ભારે વરસાદને કારણે બીએમસી દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.