વરસાદના બીજા રાઉન્ડનો થશે પ્રારંભ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું આગાહી કરી


  • Published By :
  • Published Date : 2023-07-04 14:51:09

રાજ્યમાં વરસાદે 2-3 દિવસ વિરામ લીધા બાદ ફરી એક વખત ફરી એક વખત ગાજવીજ સાથે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 7 અને 8 જૂલાઈથી સમગ્ર રાજ્યમાં ભારે ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


આજથી બીજા રાઉન્ડની આગાહી


રાજ્યમાં 7 જૂલાઈથી વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઇથી વરસાદનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ તરફના દબાણ વધવાના કારણે વરસાદનો બીજો રાઉન્ડ આવશે. 7 અને 8 જુલાઈના રોજ વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 7થી 12 જુલાઇના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઈથી 8 ઓગષ્ટ દરમિયાન ફરી એક વાર મેઘસવારી જોવા મળશે. ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.