ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા, તાપમાનનો પારો પહોંચ્યો માઈનસમાં


  • Published By :
  • Published Date : 2023-01-12 12:50:34

ચારધામને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતા જ દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ હતી. કેદારનાથ ધામ પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી ધામથી પણ હિમવર્ષા થવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે અત્યંક મોહક છે. ગંગોત્રીમાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગંગોત્રી મંદિર પર બરફ છવાઈ ગયો છે.


ગંગોત્રી ધામ પર છવાયો બરફ 

કડકડતી ઠંડીને કારણે ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હિમવર્ષાને કારણે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વધતી ઠંડીને કારણે કેદારનાથ ધામ તો અનેક વખત બરફમાં ઢંકાઈ જાય છે. કેદારનાથની સાથે સાથે ગંગોત્રી ધામ મંદિરે બરફની ચાદર ઓઢી લીધું છે.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.