Gujaratમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે કોઈ વિસ્તાર માટે આપ્યું Orange Alert તો કોઈ માટે આપ્યું Yellow alert!


  • Published By :
  • Published Date : 2024-07-13 18:16:43

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. પરંતુ અનેક વખત એવું પણ બને છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી હોય ત્યાં વરસાદ ના વરસ્યો હોય.. કોઈ વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક વરસાદ હોય તો તેની આગળ જ આવેલી જગ્યા પર વરસાદ ના પણ હોય.. એવું કહીએ કે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો પણ આપણે ખોટા ના પડીએ.. આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મરેલી તેમજ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. તેમજ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ. જૂનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 15 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 




મહેર કહેરમાં ફેરવાઈ!

16 તારીખે મોટા ભાગો માટે કાંતો ઓરેન્જ એલર્ટ કાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય 17 તારીખ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદની મહેર નહીં પરંતુ કહેર જોવા મળી છે.. વરસાદ આફત બનીને ત્રાટક્યું છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.