Gujaratમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે કોઈ વિસ્તાર માટે આપ્યું Orange Alert તો કોઈ માટે આપ્યું Yellow alert!


  • Published By :
  • Published Date : 2024-07-13 18:16:43

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. પરંતુ અનેક વખત એવું પણ બને છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી હોય ત્યાં વરસાદ ના વરસ્યો હોય.. કોઈ વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક વરસાદ હોય તો તેની આગળ જ આવેલી જગ્યા પર વરસાદ ના પણ હોય.. એવું કહીએ કે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો પણ આપણે ખોટા ના પડીએ.. આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મરેલી તેમજ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. તેમજ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ. જૂનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 15 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 




મહેર કહેરમાં ફેરવાઈ!

16 તારીખે મોટા ભાગો માટે કાંતો ઓરેન્જ એલર્ટ કાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય 17 તારીખ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદની મહેર નહીં પરંતુ કહેર જોવા મળી છે.. વરસાદ આફત બનીને ત્રાટક્યું છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.