Gujaratમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે કોઈ વિસ્તાર માટે આપ્યું Orange Alert તો કોઈ માટે આપ્યું Yellow alert!


  • Published By :
  • Published Date : 2024-07-13 18:16:43

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. પરંતુ અનેક વખત એવું પણ બને છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી હોય ત્યાં વરસાદ ના વરસ્યો હોય.. કોઈ વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક વરસાદ હોય તો તેની આગળ જ આવેલી જગ્યા પર વરસાદ ના પણ હોય.. એવું કહીએ કે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો પણ આપણે ખોટા ના પડીએ.. આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મરેલી તેમજ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. તેમજ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ. જૂનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 15 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 




મહેર કહેરમાં ફેરવાઈ!

16 તારીખે મોટા ભાગો માટે કાંતો ઓરેન્જ એલર્ટ કાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય 17 તારીખ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદની મહેર નહીં પરંતુ કહેર જોવા મળી છે.. વરસાદ આફત બનીને ત્રાટક્યું છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.