Gujaratમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે કોઈ વિસ્તાર માટે આપ્યું Orange Alert તો કોઈ માટે આપ્યું Yellow alert!


  • Published By :
  • Published Date : 2024-07-13 18:16:43

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. પરંતુ અનેક વખત એવું પણ બને છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી હોય ત્યાં વરસાદ ના વરસ્યો હોય.. કોઈ વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક વરસાદ હોય તો તેની આગળ જ આવેલી જગ્યા પર વરસાદ ના પણ હોય.. એવું કહીએ કે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો પણ આપણે ખોટા ના પડીએ.. આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મરેલી તેમજ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. તેમજ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ. જૂનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 15 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 




મહેર કહેરમાં ફેરવાઈ!

16 તારીખે મોટા ભાગો માટે કાંતો ઓરેન્જ એલર્ટ કાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય 17 તારીખ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદની મહેર નહીં પરંતુ કહેર જોવા મળી છે.. વરસાદ આફત બનીને ત્રાટક્યું છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે