મમતા બેનર્જીની યોજનાને હાઈકોર્ટે ગેરકાયદે જાહેર કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:42:40

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સરકારની રહી દુઆરે રાશન યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ વિરુદ્ધની યોજના કહી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના ઘરે રાશન સામગ્રી આપવામાં આવવાની હતી.


160 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો હતો પ્લાન 

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે આ યોજના લોન્ચ કરતા સમયે જણાવ્યું હતું કે આ યોજના પાછળ સરકાર 160 રૂપિયા ખર્ચશે. લોકોના ઘરે-ઘરે રાશન પહોંચાડવા મમતા બેનરજી સરકાર વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યું હતું. જેના માટે 21 હજાર રાશન ડિલરને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો મમતા સરકારનો પ્લાન હતો. મમતા બેનરજી સરકારનો પ્લાન હતો કે આ યોજના હેઠળ સરકાર 10 કરોડ લોકોને ઘરે રાશન પહોંચાડી શકે. સરકારનો દાવો હતો કે આ યોજનાથી પશ્ચિમ બંગાળમાં નવી 42 હજાર નોકરીનું સર્જન થશે 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.