હિમાચલમાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસે 40 બેઠકો જીતી સત્તામાં વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 20:25:27

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ  જેવો હતો. પાર્ટીએ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી પણ હિમાચલ પ્રદેશમાં તેના સુપડા સાફ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં માત્ર કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને માત્ર 25 જ્યારે જ્યારે અન્યને ત્રણ સીટ મળી છે. હિમાચલ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે ભાજપ સરકારના 11 માંથી 9 મંત્રીઓ હાર્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભાજપ શા માટે હારી?


હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. પાંચ વર્ષના સમયાંતરે ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહે છે. આ વખતે પણ તે જ જુની પરંપરાનું પુનરાવર્તન થયું છે. તે ઉપરાંત રાજ્ય સરકારના 2.25 લાખ કર્મચારીઓ તથા 1.90 લાખ પેન્સનર્સ પણ સરકારની નિતીઓથી નારાજ હતા. આ લોકો જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરતા હતા. કોંગ્રેસે ઓલ્ડ પેન્શન સ્કિમનો અમલ કરવાની ગેરન્ટી આપી હતી. વળી ચૂંટણી દરમિયાન મોંઘવારી અને બેરોજગારી પણ સળગતો મુદ્દો હતો લોકો આસમાને પહોંચેલી મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હિમાચલ પ્રદેશના યુવાનોમાં સેનામાં  ભરતી થવાનું પહેલેથી આકર્ષણ રહ્યું છે પણ મોદી સરકારે અગ્નિવીર યોજના લાવતા યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ હતો જેના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.