હિમાચલમાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસે 40 બેઠકો જીતી સત્તામાં વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 20:25:27

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ  જેવો હતો. પાર્ટીએ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી પણ હિમાચલ પ્રદેશમાં તેના સુપડા સાફ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં માત્ર કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને માત્ર 25 જ્યારે જ્યારે અન્યને ત્રણ સીટ મળી છે. હિમાચલ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે ભાજપ સરકારના 11 માંથી 9 મંત્રીઓ હાર્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભાજપ શા માટે હારી?


હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. પાંચ વર્ષના સમયાંતરે ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહે છે. આ વખતે પણ તે જ જુની પરંપરાનું પુનરાવર્તન થયું છે. તે ઉપરાંત રાજ્ય સરકારના 2.25 લાખ કર્મચારીઓ તથા 1.90 લાખ પેન્સનર્સ પણ સરકારની નિતીઓથી નારાજ હતા. આ લોકો જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરતા હતા. કોંગ્રેસે ઓલ્ડ પેન્શન સ્કિમનો અમલ કરવાની ગેરન્ટી આપી હતી. વળી ચૂંટણી દરમિયાન મોંઘવારી અને બેરોજગારી પણ સળગતો મુદ્દો હતો લોકો આસમાને પહોંચેલી મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હિમાચલ પ્રદેશના યુવાનોમાં સેનામાં  ભરતી થવાનું પહેલેથી આકર્ષણ રહ્યું છે પણ મોદી સરકારે અગ્નિવીર યોજના લાવતા યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ હતો જેના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.