હિમાચલમાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસે 40 બેઠકો જીતી સત્તામાં વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 20:25:27

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ  જેવો હતો. પાર્ટીએ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી પણ હિમાચલ પ્રદેશમાં તેના સુપડા સાફ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં માત્ર કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને માત્ર 25 જ્યારે જ્યારે અન્યને ત્રણ સીટ મળી છે. હિમાચલ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે ભાજપ સરકારના 11 માંથી 9 મંત્રીઓ હાર્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભાજપ શા માટે હારી?


હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. પાંચ વર્ષના સમયાંતરે ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહે છે. આ વખતે પણ તે જ જુની પરંપરાનું પુનરાવર્તન થયું છે. તે ઉપરાંત રાજ્ય સરકારના 2.25 લાખ કર્મચારીઓ તથા 1.90 લાખ પેન્સનર્સ પણ સરકારની નિતીઓથી નારાજ હતા. આ લોકો જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરતા હતા. કોંગ્રેસે ઓલ્ડ પેન્શન સ્કિમનો અમલ કરવાની ગેરન્ટી આપી હતી. વળી ચૂંટણી દરમિયાન મોંઘવારી અને બેરોજગારી પણ સળગતો મુદ્દો હતો લોકો આસમાને પહોંચેલી મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હિમાચલ પ્રદેશના યુવાનોમાં સેનામાં  ભરતી થવાનું પહેલેથી આકર્ષણ રહ્યું છે પણ મોદી સરકારે અગ્નિવીર યોજના લાવતા યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ હતો જેના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે