હિમાચલમાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસે 40 બેઠકો જીતી સત્તામાં વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 20:25:27

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ  જેવો હતો. પાર્ટીએ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી પણ હિમાચલ પ્રદેશમાં તેના સુપડા સાફ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં માત્ર કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને માત્ર 25 જ્યારે જ્યારે અન્યને ત્રણ સીટ મળી છે. હિમાચલ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે ભાજપ સરકારના 11 માંથી 9 મંત્રીઓ હાર્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભાજપ શા માટે હારી?


હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. પાંચ વર્ષના સમયાંતરે ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહે છે. આ વખતે પણ તે જ જુની પરંપરાનું પુનરાવર્તન થયું છે. તે ઉપરાંત રાજ્ય સરકારના 2.25 લાખ કર્મચારીઓ તથા 1.90 લાખ પેન્સનર્સ પણ સરકારની નિતીઓથી નારાજ હતા. આ લોકો જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરતા હતા. કોંગ્રેસે ઓલ્ડ પેન્શન સ્કિમનો અમલ કરવાની ગેરન્ટી આપી હતી. વળી ચૂંટણી દરમિયાન મોંઘવારી અને બેરોજગારી પણ સળગતો મુદ્દો હતો લોકો આસમાને પહોંચેલી મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હિમાચલ પ્રદેશના યુવાનોમાં સેનામાં  ભરતી થવાનું પહેલેથી આકર્ષણ રહ્યું છે પણ મોદી સરકારે અગ્નિવીર યોજના લાવતા યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ હતો જેના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડ્યો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.