હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે સુપ્રીમે નાણા મંત્રાલય અને સેબી પાસે જવાબ માંગ્યો, 13 ફેબ્રુ.એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-10 20:43:26

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સેબી પાસે 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું કે તે કોર્ટને જણાવે કે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય અને સુપ્રીમ કોર્ટને બતાવે કે વર્તમાન માળખું શું છે? કોર્ટે કહ્યું કે સેબી તે એ પણ જાણવા માંગે છે કે નિયમનકારી માળખું કેવી રીતે મજબૂત કરી શકાય.


સેબી 13 ફેબ્રુઆરી સુધી જવાબ આપે


સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સેબીએ સમજાવવું જોઈએ કે વર્તમાન નિયમનકારી માળખું શું છે અને રોકાણકારોની સુરક્ષા માટે મજબૂત મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે કેમ?. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને સેબી પાસેથી 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી? હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.


સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અનેક અરજી


આ પહેલા ગુરુવારે એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવે. PILમાં, તિવારીએ મોટા બિઝનેસ હાઉસોને આપવામાં આવેલી રૂ. 500 કરોડથી વધુની લોન મંજૂર કરવાની નીતિ પર વજર રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી, કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.