હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે સુપ્રીમે નાણા મંત્રાલય અને સેબી પાસે જવાબ માંગ્યો, 13 ફેબ્રુ.એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-10 20:43:26

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સેબી પાસે 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું કે તે કોર્ટને જણાવે કે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય અને સુપ્રીમ કોર્ટને બતાવે કે વર્તમાન માળખું શું છે? કોર્ટે કહ્યું કે સેબી તે એ પણ જાણવા માંગે છે કે નિયમનકારી માળખું કેવી રીતે મજબૂત કરી શકાય.


સેબી 13 ફેબ્રુઆરી સુધી જવાબ આપે


સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સેબીએ સમજાવવું જોઈએ કે વર્તમાન નિયમનકારી માળખું શું છે અને રોકાણકારોની સુરક્ષા માટે મજબૂત મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે કેમ?. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને સેબી પાસેથી 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી? હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.


સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અનેક અરજી


આ પહેલા ગુરુવારે એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવે. PILમાં, તિવારીએ મોટા બિઝનેસ હાઉસોને આપવામાં આવેલી રૂ. 500 કરોડથી વધુની લોન મંજૂર કરવાની નીતિ પર વજર રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી, કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.



ગુજરાતમાં 7મેના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નામોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે.

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલો વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક ઉમેદવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. કિરીટ પટેલે રાજા અને રાણીને લઈ નિવેદન આપ્યું છે.. વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી પણ માગી છે..

ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં વધારે ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ ગરમી વધવાની શક્યતા રહેલી છે. એપ્રિલના અંતમાં તાપમાનનો પારો વધી શકે છે.