હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે સુપ્રીમે નાણા મંત્રાલય અને સેબી પાસે જવાબ માંગ્યો, 13 ફેબ્રુ.એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-10 20:43:26

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સેબી પાસે 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું કે તે કોર્ટને જણાવે કે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય અને સુપ્રીમ કોર્ટને બતાવે કે વર્તમાન માળખું શું છે? કોર્ટે કહ્યું કે સેબી તે એ પણ જાણવા માંગે છે કે નિયમનકારી માળખું કેવી રીતે મજબૂત કરી શકાય.


સેબી 13 ફેબ્રુઆરી સુધી જવાબ આપે


સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સેબીએ સમજાવવું જોઈએ કે વર્તમાન નિયમનકારી માળખું શું છે અને રોકાણકારોની સુરક્ષા માટે મજબૂત મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે કેમ?. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને સેબી પાસેથી 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી? હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.


સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અનેક અરજી


આ પહેલા ગુરુવારે એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવે. PILમાં, તિવારીએ મોટા બિઝનેસ હાઉસોને આપવામાં આવેલી રૂ. 500 કરોડથી વધુની લોન મંજૂર કરવાની નીતિ પર વજર રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી, કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.