હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે સુપ્રીમે નાણા મંત્રાલય અને સેબી પાસે જવાબ માંગ્યો, 13 ફેબ્રુ.એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-10 20:43:26

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સેબી પાસે 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું કે તે કોર્ટને જણાવે કે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય અને સુપ્રીમ કોર્ટને બતાવે કે વર્તમાન માળખું શું છે? કોર્ટે કહ્યું કે સેબી તે એ પણ જાણવા માંગે છે કે નિયમનકારી માળખું કેવી રીતે મજબૂત કરી શકાય.


સેબી 13 ફેબ્રુઆરી સુધી જવાબ આપે


સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સેબીએ સમજાવવું જોઈએ કે વર્તમાન નિયમનકારી માળખું શું છે અને રોકાણકારોની સુરક્ષા માટે મજબૂત મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે કેમ?. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને સેબી પાસેથી 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી? હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.


સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અનેક અરજી


આ પહેલા ગુરુવારે એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવે. PILમાં, તિવારીએ મોટા બિઝનેસ હાઉસોને આપવામાં આવેલી રૂ. 500 કરોડથી વધુની લોન મંજૂર કરવાની નીતિ પર વજર રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી, કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.