દ્વારકા મંદિર દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય, હવેથી પ્રતિદિન ભગવાનને અર્પણ થશે આટલી ધજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 13:30:37

હિંદુ ધર્મમાં જેટલું સ્થાન ભગવાનના દર્શન કરવાનું હોય છે તેટલું જ મહત્વ ધજા દર્શન કરવાનું પણ હોય છે. અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં પણ હજારો ભક્તો ધજા અર્પણ કરે છે. પ્રતિદિન ભગવાન દ્વારકાધીશને પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી ભક્તો કરી રહ્યા હતા. ત્યારે ભક્તોની લાગણીને માન આપી જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી પ્રતિદિન ઠાકોરજીને 6 ધજા અર્પણ કરવામાં આવશે. 


હવેથી પ્રતિદિન 6 ધજા ચઢાવવામાં આવશે

થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. દ્વારકા સહિતના અનેક જિલ્લાઓને એલર્ટ પણ મૂકી દેવાયા હતા. ત્યારે ધજા ચઢાવતા પૂજારીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક દિવસો સુધી ભગવાનને ધજા અર્પણ કરવામાં આવી ન હતી. ધજાની માત્ર પૂજા કરવામાં આવતી હતી. પરંતુ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે પંદર દિવસ સુધી દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવામાં આવતી હતી. ભક્તોએ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ પ્રતિદિન 6 ધજા અર્પણ કરવામાં આવે તેવી ભક્તોની માગ હતી. ત્યારે મંગળવારે એક બેઠક મળી હતી જેમાં મંદિર પર છઠ્ઠી ધજા ચઢાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 2024 સુધી ધજાનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.       


ઐતિહાસિક નિર્ણયથી ભક્તોમાં વ્યાપી આનંદની લાગણી

જે નિર્ણય દ્વારકા મંદિર દ્વારા લેવામાં આવ્યો છે તેને ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવે છે. બિપોરજોય વખતે લેવાયેલા નિર્ણયને ભક્તોએ ખુશી ખુશી અપનાવ્યો હતો ત્યારે આ નિર્ણયથી તો ભક્તો ગદ ગદ થઈ ગયા છે. પ્રથામાં કરાયેલા ફેરફારને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હવેથી દ્વારકા મંદિરના શિખર પર પ્રતિદિન પાંચની જગ્યાએ 6 ધજા ચઢશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.