Suratમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-06-08 15:05:30

થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત થયો હતો જેમાં નબીરાએ અનેક લોકોને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં અનેક લોકોના મોત થાય છે... ઘણી વખત રસ્તા પરથી આપણે પસાર થતા હોઈએ તો પણ ડર લાગે કે ક્યાંક અકસ્માત ના સર્જાય. ઘણી વખત વાંક માત્ર સામે વાળા વ્યક્તિનો હોય પરંતુ તેનું પરિણામ અનેક લોકોને ભોગવવું પડતું હોય છે.. ઓવરસ્પીડને કારણે અનેક કિસ્સાઓમાં ગાડી ચાલક નશા પણ હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. 




પુર ઝડપે ગાડી આવી અને 7 લોકોને અડફેટે લેતી ગઈ 

હિટ એન્ડ રનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં બેફામ બનેલા કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેની ધરપકડ પોલીસે કરી છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની છે.. શુક્રવારની રાત્રે કાર ચાલકે રોડની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને આ દુર્ઘટના બની તેવી માહિતી સામે આવી છે.. 



પોલીસે કરી કાર ચાલકની અટકાયત!

ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે માત્ર અમુક ક્ષણોમાં અનેક લોકોની જીંદગી ખતમ કરી નાખી. પરિવારનો માળો વિખરાઈ જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે.. અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરવાળાઓને ટેન્શન રહેતું હોય છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.