Suratમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 15:05:30

થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત થયો હતો જેમાં નબીરાએ અનેક લોકોને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં અનેક લોકોના મોત થાય છે... ઘણી વખત રસ્તા પરથી આપણે પસાર થતા હોઈએ તો પણ ડર લાગે કે ક્યાંક અકસ્માત ના સર્જાય. ઘણી વખત વાંક માત્ર સામે વાળા વ્યક્તિનો હોય પરંતુ તેનું પરિણામ અનેક લોકોને ભોગવવું પડતું હોય છે.. ઓવરસ્પીડને કારણે અનેક કિસ્સાઓમાં ગાડી ચાલક નશા પણ હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. 




પુર ઝડપે ગાડી આવી અને 7 લોકોને અડફેટે લેતી ગઈ 

હિટ એન્ડ રનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં બેફામ બનેલા કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેની ધરપકડ પોલીસે કરી છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની છે.. શુક્રવારની રાત્રે કાર ચાલકે રોડની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને આ દુર્ઘટના બની તેવી માહિતી સામે આવી છે.. 



પોલીસે કરી કાર ચાલકની અટકાયત!

ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે માત્ર અમુક ક્ષણોમાં અનેક લોકોની જીંદગી ખતમ કરી નાખી. પરિવારનો માળો વિખરાઈ જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે.. અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરવાળાઓને ટેન્શન રહેતું હોય છે.. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.