Porbandar બાદ Morbiમાં બની Hit And Runની ઘટના, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-22 10:31:16

વાહનચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરતા હોય તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. રાજ્યમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 જેટલા લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં બનેલી ઘટનામાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રકની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટ સર્જીને ઘટનાસ્થળ પરથી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જે અકસ્માત સર્જાયો છે તેમાં એક જ પરિવારના પાંચમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે.    

 આ અકસ્માત સર્જનાર કારનો નંબર જીજે 25 જે 4303 છે. આ નંબર અને સીસીટીવીના આધારે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

 પોરબંદર: રાજ્યમાં ફરીથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કારચાલક નબીરા વધુ એક અકસ્માત સર્જયો હોવાનું અનુમાન છે. પોરબંદર શહેરમાં કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. (અકસ્માત સર્જનાર કારની તસવીર)

પોરબંદરમાં ગાડીએ અનેક વાહનોને લીધા હતા અડફેટે

રોડ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત થાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે પોરબંદરમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી એવું માનવામાં આવી રહ્યું છે કે કારચાલક નબીરો હતો અને નશાની હાલતમાં ધૂત હતો. અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો, પોલીસે ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જનારને શોધવાની તજવીજ હાથ ધરી હતી. 


મોરબી: હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત, પરિવાર વિખેરાઇ ગયો | Sandesh

કાર અને બાઈકની ટક્કર થતા થયા ત્રણ લોકોના મોત 

પોરબંદરની ઘટનાને હજી અમુક કલાકો જ થયા છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીમાં બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મોરબીના નાના દહીસરા ગામ પાસે બની છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં 2 વર્ષનું બાળક છે, પાંચ વર્ષની બાળકી છે અને તેમના પિતા છે. તો માતા અને બીજી પુત્રીની સારવાર ચાલી રહી છે. પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોત થતા દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. પોલીસે આ ઘટનામાં ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 



ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટના?

મહત્વનું છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈ બીજાની ભૂલને કારણે ભોગવવાનો વારો બીજાને આવે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. બેફામ રીતે વાહનચલાવનાર લોકો વિરૂદ્ધ કડક પગલા ક્યારે લેવામાં આવશે તે એક પ્રશ્ન છે? ક્યાં સુધી ઓવરસ્પીડિંગને કારણે આવા અકસ્માત સર્જાતા રહેશે? બેફામ રીતે વાહન ચલાવતા લોકોએ સમજવું પડશે કે આ રસ્તો તેમના બાપનો બગીચો નથી કે મન ફાવે તેમ વાહન ચલાવે...     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.