Porbandar બાદ Morbiમાં બની Hit And Runની ઘટના, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-22 10:31:16

વાહનચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરતા હોય તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. રાજ્યમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 જેટલા લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં બનેલી ઘટનામાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રકની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટ સર્જીને ઘટનાસ્થળ પરથી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જે અકસ્માત સર્જાયો છે તેમાં એક જ પરિવારના પાંચમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે.    

 આ અકસ્માત સર્જનાર કારનો નંબર જીજે 25 જે 4303 છે. આ નંબર અને સીસીટીવીના આધારે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

 પોરબંદર: રાજ્યમાં ફરીથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કારચાલક નબીરા વધુ એક અકસ્માત સર્જયો હોવાનું અનુમાન છે. પોરબંદર શહેરમાં કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. (અકસ્માત સર્જનાર કારની તસવીર)

પોરબંદરમાં ગાડીએ અનેક વાહનોને લીધા હતા અડફેટે

રોડ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત થાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે પોરબંદરમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી એવું માનવામાં આવી રહ્યું છે કે કારચાલક નબીરો હતો અને નશાની હાલતમાં ધૂત હતો. અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો, પોલીસે ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જનારને શોધવાની તજવીજ હાથ ધરી હતી. 


મોરબી: હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત, પરિવાર વિખેરાઇ ગયો | Sandesh

કાર અને બાઈકની ટક્કર થતા થયા ત્રણ લોકોના મોત 

પોરબંદરની ઘટનાને હજી અમુક કલાકો જ થયા છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીમાં બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મોરબીના નાના દહીસરા ગામ પાસે બની છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં 2 વર્ષનું બાળક છે, પાંચ વર્ષની બાળકી છે અને તેમના પિતા છે. તો માતા અને બીજી પુત્રીની સારવાર ચાલી રહી છે. પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોત થતા દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. પોલીસે આ ઘટનામાં ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 



ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટના?

મહત્વનું છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈ બીજાની ભૂલને કારણે ભોગવવાનો વારો બીજાને આવે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. બેફામ રીતે વાહનચલાવનાર લોકો વિરૂદ્ધ કડક પગલા ક્યારે લેવામાં આવશે તે એક પ્રશ્ન છે? ક્યાં સુધી ઓવરસ્પીડિંગને કારણે આવા અકસ્માત સર્જાતા રહેશે? બેફામ રીતે વાહન ચલાવતા લોકોએ સમજવું પડશે કે આ રસ્તો તેમના બાપનો બગીચો નથી કે મન ફાવે તેમ વાહન ચલાવે...     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.