આનંદો! સરકારી કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા જાહેર, 11 થી 15 નવેમ્બર સુધી માણી શકશે મિની વેકેશન


  • Published By :
  • Published Date : 2023-11-05 15:22:12

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને ગૂડ ન્યુઝ આપ્યા છે, ગુજરાત સરકાર કર્મચારીઓ પર મહેરબાન થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધીનું મિની વેકેશન માણી શકશે. કર્મચારી સંગઠન દ્વારા દિવાળી દરમિયાન સળંગ રજાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી હવે સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ મળી શકશે. જેથી તેઓ ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકશે. તા. 13 નવેમ્બરનાં રોજ અધિકારીઓ/  કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9 ડિસેમ્બરનાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.  


સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો પરીપત્ર 


રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે જે અનુસાર આગામી ડિસેમ્બર મહિનાની 9મી તારીખે બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ જ રહેશે. ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી રજા, 12 નવેમ્બરના રોજ દિવાળી અને રવિવારની રજા છે. જ્યારે 13મીએ પડતર દિવસ બાદ 14 નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ રજાઓ વચ્ચે 13 નવેમ્બર સોમવારના રોજ સરકારી કચેરી ચાલુ રાખવામાં આવી હતી.જો કે દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુથી 13 નવેમ્બર સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેના બદલામાં 9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.