આનંદો! સરકારી કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા જાહેર, 11 થી 15 નવેમ્બર સુધી માણી શકશે મિની વેકેશન


  • Published By :
  • Published Date : 2023-11-05 15:22:12

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને ગૂડ ન્યુઝ આપ્યા છે, ગુજરાત સરકાર કર્મચારીઓ પર મહેરબાન થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધીનું મિની વેકેશન માણી શકશે. કર્મચારી સંગઠન દ્વારા દિવાળી દરમિયાન સળંગ રજાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી હવે સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ મળી શકશે. જેથી તેઓ ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકશે. તા. 13 નવેમ્બરનાં રોજ અધિકારીઓ/  કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9 ડિસેમ્બરનાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.  


સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો પરીપત્ર 


રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે જે અનુસાર આગામી ડિસેમ્બર મહિનાની 9મી તારીખે બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ જ રહેશે. ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી રજા, 12 નવેમ્બરના રોજ દિવાળી અને રવિવારની રજા છે. જ્યારે 13મીએ પડતર દિવસ બાદ 14 નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ રજાઓ વચ્ચે 13 નવેમ્બર સોમવારના રોજ સરકારી કચેરી ચાલુ રાખવામાં આવી હતી.જો કે દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુથી 13 નવેમ્બર સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેના બદલામાં 9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી