ઉત્તરપ્રદેશના બાંદામાં બની ખૌફનાક ઘટના, ડમ્પર સાથે 3 કિલોમીટર મહિલા ઘસેડાઈ, આગમાં બળીને ખાખ થયો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-01-05 10:01:05

દિલ્હીમાં કંઝાવાલામાં થયેલી દર્દનાદ ઘટના જેવી જ એક બીજી ઘટના ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. આ ઘટનામાં પણ અકસ્માત થયા બાદ ડમ્પરની નીચે મહિલા કચડાઈ ગઈ હતી. ડમ્પરમાં ફસાયૂલું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ઘસાડી ગયું જેને કારણે સ્કૂટી, ડમ્પર અને મહિલાનો મૃતદેહમાં આગ લાગી. આ ઘટનાને કારણે લોકોનો રૂવાંટા ઊભા થઈ ગયા છે.

  

ડમ્પર સાથે અકસ્માત થતા બની દુર્ઘટના 

નવા વર્ષે રાજધાની દિલ્હીમાં જે ઘટના બની તેની ચર્ચાઓ અને તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે દિલને કંપાવી દે તેવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ઘટનામાં પણ ડમ્પરની સાથે મહિલા અને તેનું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ખેંચાતા ગયા. જે બાદ ડમ્પરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. 


મહિલા, સ્કૂટી અને ડમ્પરમાં લાગી આગ 

અઠવાડિયામાં આવી બીજી ઘટના છે જેમાં અકસ્માત થયા બાદ ઘસેડાઈ જાય છે. અંજલીના કેસમાં પણ તે અનેક કિલોમીચર સુધી ખેંચાઈ હતી ત્યારે આ ઘટનામાં પણ આવી જ વસ્તુ બની. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા કૃષિ વિશ્વવિદ્યાલયની કનિષ્ઠ બાબૂ પુષ્પા સિંહ હતા.  અકસ્માત સર્જાયા બાદ સ્કૂટી ડમ્પરમાં ફસાઈ ગઈ. અને ડમ્પરમાં ફસાયેલું સ્કૂટી 3 કિલોમીટર સુધી ઘસેડાયું અને તે બાદ આગ લાગી હતી. ડમ્પર અને સ્કૂટી સળગતા મૃતદેહ પણ સળગી ગયો હતો. અકસ્માત થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.