ઉત્તરપ્રદેશના બાંદામાં બની ખૌફનાક ઘટના, ડમ્પર સાથે 3 કિલોમીટર મહિલા ઘસેડાઈ, આગમાં બળીને ખાખ થયો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-01-05 10:01:05

દિલ્હીમાં કંઝાવાલામાં થયેલી દર્દનાદ ઘટના જેવી જ એક બીજી ઘટના ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. આ ઘટનામાં પણ અકસ્માત થયા બાદ ડમ્પરની નીચે મહિલા કચડાઈ ગઈ હતી. ડમ્પરમાં ફસાયૂલું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ઘસાડી ગયું જેને કારણે સ્કૂટી, ડમ્પર અને મહિલાનો મૃતદેહમાં આગ લાગી. આ ઘટનાને કારણે લોકોનો રૂવાંટા ઊભા થઈ ગયા છે.

  

ડમ્પર સાથે અકસ્માત થતા બની દુર્ઘટના 

નવા વર્ષે રાજધાની દિલ્હીમાં જે ઘટના બની તેની ચર્ચાઓ અને તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે દિલને કંપાવી દે તેવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ઘટનામાં પણ ડમ્પરની સાથે મહિલા અને તેનું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ખેંચાતા ગયા. જે બાદ ડમ્પરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. 


મહિલા, સ્કૂટી અને ડમ્પરમાં લાગી આગ 

અઠવાડિયામાં આવી બીજી ઘટના છે જેમાં અકસ્માત થયા બાદ ઘસેડાઈ જાય છે. અંજલીના કેસમાં પણ તે અનેક કિલોમીચર સુધી ખેંચાઈ હતી ત્યારે આ ઘટનામાં પણ આવી જ વસ્તુ બની. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા કૃષિ વિશ્વવિદ્યાલયની કનિષ્ઠ બાબૂ પુષ્પા સિંહ હતા.  અકસ્માત સર્જાયા બાદ સ્કૂટી ડમ્પરમાં ફસાઈ ગઈ. અને ડમ્પરમાં ફસાયેલું સ્કૂટી 3 કિલોમીટર સુધી ઘસેડાયું અને તે બાદ આગ લાગી હતી. ડમ્પર અને સ્કૂટી સળગતા મૃતદેહ પણ સળગી ગયો હતો. અકસ્માત થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.