ઉત્તરપ્રદેશના બાંદામાં બની ખૌફનાક ઘટના, ડમ્પર સાથે 3 કિલોમીટર મહિલા ઘસેડાઈ, આગમાં બળીને ખાખ થયો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-01-05 10:01:05

દિલ્હીમાં કંઝાવાલામાં થયેલી દર્દનાદ ઘટના જેવી જ એક બીજી ઘટના ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. આ ઘટનામાં પણ અકસ્માત થયા બાદ ડમ્પરની નીચે મહિલા કચડાઈ ગઈ હતી. ડમ્પરમાં ફસાયૂલું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ઘસાડી ગયું જેને કારણે સ્કૂટી, ડમ્પર અને મહિલાનો મૃતદેહમાં આગ લાગી. આ ઘટનાને કારણે લોકોનો રૂવાંટા ઊભા થઈ ગયા છે.

  

ડમ્પર સાથે અકસ્માત થતા બની દુર્ઘટના 

નવા વર્ષે રાજધાની દિલ્હીમાં જે ઘટના બની તેની ચર્ચાઓ અને તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે દિલને કંપાવી દે તેવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ઘટનામાં પણ ડમ્પરની સાથે મહિલા અને તેનું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ખેંચાતા ગયા. જે બાદ ડમ્પરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. 


મહિલા, સ્કૂટી અને ડમ્પરમાં લાગી આગ 

અઠવાડિયામાં આવી બીજી ઘટના છે જેમાં અકસ્માત થયા બાદ ઘસેડાઈ જાય છે. અંજલીના કેસમાં પણ તે અનેક કિલોમીચર સુધી ખેંચાઈ હતી ત્યારે આ ઘટનામાં પણ આવી જ વસ્તુ બની. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા કૃષિ વિશ્વવિદ્યાલયની કનિષ્ઠ બાબૂ પુષ્પા સિંહ હતા.  અકસ્માત સર્જાયા બાદ સ્કૂટી ડમ્પરમાં ફસાઈ ગઈ. અને ડમ્પરમાં ફસાયેલું સ્કૂટી 3 કિલોમીટર સુધી ઘસેડાયું અને તે બાદ આગ લાગી હતી. ડમ્પર અને સ્કૂટી સળગતા મૃતદેહ પણ સળગી ગયો હતો. અકસ્માત થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.