નવસારીની આ હોસ્પિટલે દર્દીના પોણા પાંચ લાખ રૂપિયા માફ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 23:40:15

જીવન જીવવાની પાયાની વસ્તુઓ ગુજરાન ચલાવવા અતિ જરૂરી હોય છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, અનાજ આ તમામ વસ્તુઓમાં જીવન જરૂરી છે. આ સેવા પૂરી પાડવાની પૂરી જવાબદારી સત્તામાં બેઠેલી સરકારની હોય છે. એવામાં નવસારીની એક હોસ્પિટલે અતિ ગરીબ પરિવારના પોણા પાંચ લાખ રૂપિયા માફ કરીને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


હોસ્પિટલે અતિ ગરીબ દર્દીના 4.64 લાખ માફ કર્યા 

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં રહેતા યુવાનનું ઓગસ્ટ માસમાં માર્ગ અકસ્માત થયો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના 70 ટકા ફેફસાને નુકસાન થયું હતું અને શરીના ભાગોમાં ઘણા બધા ફ્રેક્ચર થયા હતા. ફેફસા ફાટી જવાના કારણે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી માટે યુવકને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયો હતો. યુવકની ગંભીર પરિસ્થિતિના કારણે લાખો રૂપિયાની જરૂર હતી. 


અંતે હોસ્પિટલ સામે આવી 

યુવકનો પરિવાર અતિ ગરીબ હોવાના કારણે સ્થાનિક સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સવા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી રાખી હતી. હોસ્પિટલે સમગ્ર બાબત ધ્યાને લઈ યુવકની સારવારના 4.64 લાખ રૂપિયા માફ કરીને સમાજ અને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે