નવસારીની આ હોસ્પિટલે દર્દીના પોણા પાંચ લાખ રૂપિયા માફ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 23:40:15

જીવન જીવવાની પાયાની વસ્તુઓ ગુજરાન ચલાવવા અતિ જરૂરી હોય છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, અનાજ આ તમામ વસ્તુઓમાં જીવન જરૂરી છે. આ સેવા પૂરી પાડવાની પૂરી જવાબદારી સત્તામાં બેઠેલી સરકારની હોય છે. એવામાં નવસારીની એક હોસ્પિટલે અતિ ગરીબ પરિવારના પોણા પાંચ લાખ રૂપિયા માફ કરીને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


હોસ્પિટલે અતિ ગરીબ દર્દીના 4.64 લાખ માફ કર્યા 

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં રહેતા યુવાનનું ઓગસ્ટ માસમાં માર્ગ અકસ્માત થયો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના 70 ટકા ફેફસાને નુકસાન થયું હતું અને શરીના ભાગોમાં ઘણા બધા ફ્રેક્ચર થયા હતા. ફેફસા ફાટી જવાના કારણે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી માટે યુવકને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયો હતો. યુવકની ગંભીર પરિસ્થિતિના કારણે લાખો રૂપિયાની જરૂર હતી. 


અંતે હોસ્પિટલ સામે આવી 

યુવકનો પરિવાર અતિ ગરીબ હોવાના કારણે સ્થાનિક સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સવા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી રાખી હતી. હોસ્પિટલે સમગ્ર બાબત ધ્યાને લઈ યુવકની સારવારના 4.64 લાખ રૂપિયા માફ કરીને સમાજ અને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.