નવસારીની આ હોસ્પિટલે દર્દીના પોણા પાંચ લાખ રૂપિયા માફ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 23:40:15

જીવન જીવવાની પાયાની વસ્તુઓ ગુજરાન ચલાવવા અતિ જરૂરી હોય છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, અનાજ આ તમામ વસ્તુઓમાં જીવન જરૂરી છે. આ સેવા પૂરી પાડવાની પૂરી જવાબદારી સત્તામાં બેઠેલી સરકારની હોય છે. એવામાં નવસારીની એક હોસ્પિટલે અતિ ગરીબ પરિવારના પોણા પાંચ લાખ રૂપિયા માફ કરીને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


હોસ્પિટલે અતિ ગરીબ દર્દીના 4.64 લાખ માફ કર્યા 

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં રહેતા યુવાનનું ઓગસ્ટ માસમાં માર્ગ અકસ્માત થયો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના 70 ટકા ફેફસાને નુકસાન થયું હતું અને શરીના ભાગોમાં ઘણા બધા ફ્રેક્ચર થયા હતા. ફેફસા ફાટી જવાના કારણે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી માટે યુવકને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયો હતો. યુવકની ગંભીર પરિસ્થિતિના કારણે લાખો રૂપિયાની જરૂર હતી. 


અંતે હોસ્પિટલ સામે આવી 

યુવકનો પરિવાર અતિ ગરીબ હોવાના કારણે સ્થાનિક સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સવા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી રાખી હતી. હોસ્પિટલે સમગ્ર બાબત ધ્યાને લઈ યુવકની સારવારના 4.64 લાખ રૂપિયા માફ કરીને સમાજ અને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.