નવસારીની આ હોસ્પિટલે દર્દીના પોણા પાંચ લાખ રૂપિયા માફ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 23:40:15

જીવન જીવવાની પાયાની વસ્તુઓ ગુજરાન ચલાવવા અતિ જરૂરી હોય છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, અનાજ આ તમામ વસ્તુઓમાં જીવન જરૂરી છે. આ સેવા પૂરી પાડવાની પૂરી જવાબદારી સત્તામાં બેઠેલી સરકારની હોય છે. એવામાં નવસારીની એક હોસ્પિટલે અતિ ગરીબ પરિવારના પોણા પાંચ લાખ રૂપિયા માફ કરીને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


હોસ્પિટલે અતિ ગરીબ દર્દીના 4.64 લાખ માફ કર્યા 

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં રહેતા યુવાનનું ઓગસ્ટ માસમાં માર્ગ અકસ્માત થયો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના 70 ટકા ફેફસાને નુકસાન થયું હતું અને શરીના ભાગોમાં ઘણા બધા ફ્રેક્ચર થયા હતા. ફેફસા ફાટી જવાના કારણે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી માટે યુવકને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયો હતો. યુવકની ગંભીર પરિસ્થિતિના કારણે લાખો રૂપિયાની જરૂર હતી. 


અંતે હોસ્પિટલ સામે આવી 

યુવકનો પરિવાર અતિ ગરીબ હોવાના કારણે સ્થાનિક સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સવા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી રાખી હતી. હોસ્પિટલે સમગ્ર બાબત ધ્યાને લઈ યુવકની સારવારના 4.64 લાખ રૂપિયા માફ કરીને સમાજ અને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"