Chaitar Vasava સામે ફરિયાદ બાદ ગરમાઈ રાજનીતિ, એક તરફ છે બંધનું એલાન તો બીજી તરફ Mansukh Vasavaએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 13:36:54

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ વખતે ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પર હુમલો કરવા મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ થયા બાદ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાની પત્નીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આજે બંધનું એલાન કરાયું છે. તો બીજી તરફ બંધ મામલે મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ અપીલ કરી છે કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયાપાડામાં બધા બજાર ખુલ્લા રાખે.

ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ

નર્મદામાં અનેક વખત વસાવા Vs વસાવાનો જંગ જોવા મળતો હોય છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જમીન ખેડાણ વખતે ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકાવ્યા હતા. માર માર્યો હતો. ધારાસભ્યે પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. પોલીસે તેમના પત્નીને કસ્ટડીમાં લીધી. 


મનસુખ વસાવાએ બંધના એલાન વિશે કહી આ વાત 

ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી હતી. ત્યારે ધારાસભ્યના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. એક તરફ બંધનું એલાન કરવામાં આવ્યું તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દુકાનો ખુલી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મનસુખ વસાવાએ દુકાનો ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયારાડામાં બધા બજાર ખુલ્લી રાખે, સૌ સાથે મળીને શાંતિ જાળવે અને ગેરમાર્ગે ન દોરાઓ તેવી કાળજી રાખો એવી વાત તેમણે વીડિયોમાં કરી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .