Chaitar Vasava સામે ફરિયાદ બાદ ગરમાઈ રાજનીતિ, એક તરફ છે બંધનું એલાન તો બીજી તરફ Mansukh Vasavaએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 13:36:54

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ વખતે ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પર હુમલો કરવા મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ થયા બાદ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાની પત્નીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આજે બંધનું એલાન કરાયું છે. તો બીજી તરફ બંધ મામલે મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ અપીલ કરી છે કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયાપાડામાં બધા બજાર ખુલ્લા રાખે.

ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ

નર્મદામાં અનેક વખત વસાવા Vs વસાવાનો જંગ જોવા મળતો હોય છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જમીન ખેડાણ વખતે ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકાવ્યા હતા. માર માર્યો હતો. ધારાસભ્યે પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. પોલીસે તેમના પત્નીને કસ્ટડીમાં લીધી. 


મનસુખ વસાવાએ બંધના એલાન વિશે કહી આ વાત 

ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી હતી. ત્યારે ધારાસભ્યના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. એક તરફ બંધનું એલાન કરવામાં આવ્યું તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દુકાનો ખુલી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મનસુખ વસાવાએ દુકાનો ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયારાડામાં બધા બજાર ખુલ્લી રાખે, સૌ સાથે મળીને શાંતિ જાળવે અને ગેરમાર્ગે ન દોરાઓ તેવી કાળજી રાખો એવી વાત તેમણે વીડિયોમાં કરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી