Chaitar Vasava સામે ફરિયાદ બાદ ગરમાઈ રાજનીતિ, એક તરફ છે બંધનું એલાન તો બીજી તરફ Mansukh Vasavaએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 13:36:54

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ વખતે ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પર હુમલો કરવા મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ થયા બાદ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાની પત્નીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આજે બંધનું એલાન કરાયું છે. તો બીજી તરફ બંધ મામલે મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ અપીલ કરી છે કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયાપાડામાં બધા બજાર ખુલ્લા રાખે.

ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ

નર્મદામાં અનેક વખત વસાવા Vs વસાવાનો જંગ જોવા મળતો હોય છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જમીન ખેડાણ વખતે ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકાવ્યા હતા. માર માર્યો હતો. ધારાસભ્યે પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. પોલીસે તેમના પત્નીને કસ્ટડીમાં લીધી. 


મનસુખ વસાવાએ બંધના એલાન વિશે કહી આ વાત 

ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી હતી. ત્યારે ધારાસભ્યના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. એક તરફ બંધનું એલાન કરવામાં આવ્યું તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દુકાનો ખુલી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મનસુખ વસાવાએ દુકાનો ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયારાડામાં બધા બજાર ખુલ્લી રાખે, સૌ સાથે મળીને શાંતિ જાળવે અને ગેરમાર્ગે ન દોરાઓ તેવી કાળજી રાખો એવી વાત તેમણે વીડિયોમાં કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.