જેતપુરમાં 6 જેટલા ખખડધજ મકાન જમીનદોસ્ત, બે બાળકી સહિત ત્રણ લોકોના મોત, 5 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-07-05 18:14:07

રાજ્યમાં જુના ખખડધજ મકાનો સ્થાનિકો માટે ખતરનાક બની રહ્યા છે. જામનગરમાં ધરાશાઈ થયેલી બિલ્ડિંગની ઘટના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં રાજકોટ જિલ્લાના જેતપુરના ગોદરામાં 6 જેટલા મકાન તુટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં લગભગ 100 વર્ષ જુનું મકાન ધરાશાઈ થતાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે. 6 જેટલા મકાન પડ્યા ત્યારે જબરદસ્ત અવાજ થયો હતો, બાદમાં લોકો અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


8 વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા


જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપર ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. લગભગ 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.