જેતપુરમાં 6 જેટલા ખખડધજ મકાન જમીનદોસ્ત, બે બાળકી સહિત ત્રણ લોકોના મોત, 5 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-07-05 18:14:07

રાજ્યમાં જુના ખખડધજ મકાનો સ્થાનિકો માટે ખતરનાક બની રહ્યા છે. જામનગરમાં ધરાશાઈ થયેલી બિલ્ડિંગની ઘટના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં રાજકોટ જિલ્લાના જેતપુરના ગોદરામાં 6 જેટલા મકાન તુટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં લગભગ 100 વર્ષ જુનું મકાન ધરાશાઈ થતાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે. 6 જેટલા મકાન પડ્યા ત્યારે જબરદસ્ત અવાજ થયો હતો, બાદમાં લોકો અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


8 વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા


જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપર ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. લગભગ 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.