September મહિનામાં કેવું રહેશે વાતાવરણ? વરસાદને લઈ Ambalal Patelએ કરી આ આગાહી, જાણો ક્યાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-08-26 19:02:56

જુલાઈ મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં તો વરસાદે જાણે દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો છે. ગુજરાતમાં હાલ એકપણ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે આગામી થોડા દિવસો વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. સામાન્ય વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. 


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેને કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદે રાજ્યમાં બ્રેક લીધો છે. માત્ર થોડા વિસ્તારોમાં જ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.આગામી ત્રણ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા, વલસાડ,તાપી તેમજ દમણમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉપરાંત ગાંધીનગર તેમજ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી કરવામાં આવી છે.


અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે કરીઆ આગાહી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસો દરમિયાન કોઈક જગ્યા પર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા વરસાદ વરસી શકે છે. લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાલ્ગુનિ નક્ષત્રમાં અરબ સાગરમાં દબાણ ઉભુ થવાની શક્યતા છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીએ 85 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.