September મહિનામાં કેવું રહેશે વાતાવરણ? વરસાદને લઈ Ambalal Patelએ કરી આ આગાહી, જાણો ક્યાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-08-26 19:02:56

જુલાઈ મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં તો વરસાદે જાણે દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો છે. ગુજરાતમાં હાલ એકપણ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે આગામી થોડા દિવસો વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. સામાન્ય વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. 


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેને કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદે રાજ્યમાં બ્રેક લીધો છે. માત્ર થોડા વિસ્તારોમાં જ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.આગામી ત્રણ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા, વલસાડ,તાપી તેમજ દમણમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉપરાંત ગાંધીનગર તેમજ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી કરવામાં આવી છે.


અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે કરીઆ આગાહી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસો દરમિયાન કોઈક જગ્યા પર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા વરસાદ વરસી શકે છે. લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાલ્ગુનિ નક્ષત્રમાં અરબ સાગરમાં દબાણ ઉભુ થવાની શક્યતા છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીએ 85 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી