September મહિનામાં કેવું રહેશે વાતાવરણ? વરસાદને લઈ Ambalal Patelએ કરી આ આગાહી, જાણો ક્યાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-08-26 19:02:56

જુલાઈ મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં તો વરસાદે જાણે દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો છે. ગુજરાતમાં હાલ એકપણ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે આગામી થોડા દિવસો વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. સામાન્ય વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. 


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેને કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદે રાજ્યમાં બ્રેક લીધો છે. માત્ર થોડા વિસ્તારોમાં જ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.આગામી ત્રણ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા, વલસાડ,તાપી તેમજ દમણમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉપરાંત ગાંધીનગર તેમજ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી કરવામાં આવી છે.


અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે કરીઆ આગાહી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસો દરમિયાન કોઈક જગ્યા પર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા વરસાદ વરસી શકે છે. લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાલ્ગુનિ નક્ષત્રમાં અરબ સાગરમાં દબાણ ઉભુ થવાની શક્યતા છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીએ 85 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.