'બ્રહ્માસ્ત્ર’ના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 15:42:21

'બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?

 

થોડા સમય પેહલાજ બોલીવુડ એક્ટર હૃતિક રોશનની ચર્ચા ચાલી રહી હતી કે તેઓ બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે કે નહીં એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કન્ફર્મ કર્યું કે તે ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

 
કોના નામોની ચર્ચા ?

પેહલા ચર્ચા ચાલી રહી હતી ત્યારે મૂવીના ભાગ 2માં રણવીર સિંહ અને કાર્તિક આર્યનના નામ ની ચર્ચા થઈ રહી હતી પરંતુ બાદમાં હવે જ્યારે હૃતિક રોશનએ નિવેદન આપ્યું છે ત્યારે  ચાહકોને આશા છે કે કદાચ તે 'બ્રહ્માસ્ત્ર 2'માં જોવા મળી શકે છે.

 

400 ક્લબમાં સામેલ થઈ ગઈ છે મૂવી !!!!!

9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને અયાન મુખર્જીને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો છે.

 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.