'બ્રહ્માસ્ત્ર’ના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 15:42:21

'બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?

 

થોડા સમય પેહલાજ બોલીવુડ એક્ટર હૃતિક રોશનની ચર્ચા ચાલી રહી હતી કે તેઓ બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે કે નહીં એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કન્ફર્મ કર્યું કે તે ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

 
કોના નામોની ચર્ચા ?

પેહલા ચર્ચા ચાલી રહી હતી ત્યારે મૂવીના ભાગ 2માં રણવીર સિંહ અને કાર્તિક આર્યનના નામ ની ચર્ચા થઈ રહી હતી પરંતુ બાદમાં હવે જ્યારે હૃતિક રોશનએ નિવેદન આપ્યું છે ત્યારે  ચાહકોને આશા છે કે કદાચ તે 'બ્રહ્માસ્ત્ર 2'માં જોવા મળી શકે છે.

 

400 ક્લબમાં સામેલ થઈ ગઈ છે મૂવી !!!!!

9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને અયાન મુખર્જીને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો છે.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.