Gandhinagarમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, આંદોલનને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, કાયમી શિક્ષકોની માગ સાથે આવેલા ઉમેદવારોની...


  • Published By :
  • Published Date : 2024-06-18 13:24:17

ગાંધીનગર ખાતે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે. આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવાયો છે. સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે. 

મેદવારો તેમજ જિગ્નેશ મેવાણીની પોલીસે કરી અટકાયત!

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ગાંધીનગર આંદોલનના સમર્થન માટે પહોંચી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે જિગ્નેશ મેવાણીની પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ મેવાણીની સાથે સાથે અનેક ઉમેદવારોને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટ હોવા છતાંય સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવતી.

પોલીસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોની અટકાયત  

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ જ્યારે જ્યારે તે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવતી. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉંધી દાંડી યાત્રાનું પણ આયોજન કર્યું હતું, સોશિયલ મીડિયા પર અનેક વખત અભિયાન ચલાવ્યું હતું. થોડા સમયથી શાંત બેઠેલા ઉમેદવારો ફરી એક વખત મેદાને આવી ગયા છે પોતાની માગ સાથે. આ વખતે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણી પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર આવ્યા છે. પોલીસે જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી લીધી છે.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.