Gandhinagarમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, આંદોલનને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, કાયમી શિક્ષકોની માગ સાથે આવેલા ઉમેદવારોની...


  • Published By :
  • Published Date : 2024-06-18 13:24:17

ગાંધીનગર ખાતે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે. આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવાયો છે. સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે. 

મેદવારો તેમજ જિગ્નેશ મેવાણીની પોલીસે કરી અટકાયત!

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ગાંધીનગર આંદોલનના સમર્થન માટે પહોંચી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે જિગ્નેશ મેવાણીની પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ મેવાણીની સાથે સાથે અનેક ઉમેદવારોને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટ હોવા છતાંય સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવતી.

પોલીસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોની અટકાયત  

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ જ્યારે જ્યારે તે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવતી. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉંધી દાંડી યાત્રાનું પણ આયોજન કર્યું હતું, સોશિયલ મીડિયા પર અનેક વખત અભિયાન ચલાવ્યું હતું. થોડા સમયથી શાંત બેઠેલા ઉમેદવારો ફરી એક વખત મેદાને આવી ગયા છે પોતાની માગ સાથે. આ વખતે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણી પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર આવ્યા છે. પોલીસે જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી લીધી છે.  




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.