Gandhinagarમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, આંદોલનને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, કાયમી શિક્ષકોની માગ સાથે આવેલા ઉમેદવારોની...


  • Published By :
  • Published Date : 2024-06-18 13:24:17

ગાંધીનગર ખાતે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે. આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવાયો છે. સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે. 

મેદવારો તેમજ જિગ્નેશ મેવાણીની પોલીસે કરી અટકાયત!

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ગાંધીનગર આંદોલનના સમર્થન માટે પહોંચી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે જિગ્નેશ મેવાણીની પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ મેવાણીની સાથે સાથે અનેક ઉમેદવારોને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટ હોવા છતાંય સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવતી.

પોલીસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોની અટકાયત  

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ જ્યારે જ્યારે તે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવતી. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉંધી દાંડી યાત્રાનું પણ આયોજન કર્યું હતું, સોશિયલ મીડિયા પર અનેક વખત અભિયાન ચલાવ્યું હતું. થોડા સમયથી શાંત બેઠેલા ઉમેદવારો ફરી એક વખત મેદાને આવી ગયા છે પોતાની માગ સાથે. આ વખતે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણી પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર આવ્યા છે. પોલીસે જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી લીધી છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.