Gandhinagarમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, આંદોલનને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, કાયમી શિક્ષકોની માગ સાથે આવેલા ઉમેદવારોની...


  • Published By :
  • Published Date : 2024-06-18 13:24:17

ગાંધીનગર ખાતે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે. આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવાયો છે. સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે. 

મેદવારો તેમજ જિગ્નેશ મેવાણીની પોલીસે કરી અટકાયત!

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ગાંધીનગર આંદોલનના સમર્થન માટે પહોંચી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે જિગ્નેશ મેવાણીની પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ મેવાણીની સાથે સાથે અનેક ઉમેદવારોને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટ હોવા છતાંય સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવતી.

પોલીસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોની અટકાયત  

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ જ્યારે જ્યારે તે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવતી. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉંધી દાંડી યાત્રાનું પણ આયોજન કર્યું હતું, સોશિયલ મીડિયા પર અનેક વખત અભિયાન ચલાવ્યું હતું. થોડા સમયથી શાંત બેઠેલા ઉમેદવારો ફરી એક વખત મેદાને આવી ગયા છે પોતાની માગ સાથે. આ વખતે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણી પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર આવ્યા છે. પોલીસે જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી લીધી છે.  




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.