ગાંધીનગરમાં કાયમી શિક્ષકની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, CM અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-19 15:47:50

ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે આંદોલન કર્યું હતું.  ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે, સરકાર સુધી તેમની માગ, રજૂઆત પહોંચે તે માટે અનેક વખત પ્રયત્નો કર્યા. કરાર આધારિત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકૂલ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી રજૂઆત!  

ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શળા ચાલે છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જેને લઈ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા, આંદોલન કરવા માટે બેઠા હતા પરંતુ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાત્રે ઉમેદવારો ગાંધીનગરમાં જ રોકાયા હતા. 




રાત્રે પણ ઉમેદવારો હતા ગાંધીનગરમાં 

ગઈકાલે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવા માટે આવ્યા હતા. રસ્તા પર બેસી તેમણે આંદોલન કર્યું હતું. વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાંથી જ્યારે તેઓ છુટ્યા તે બાદ તેમણે મોડી રાત્રે ગાંધીનગરમાં ફરી એક વખત ધરણા કરવા બેસી ગયા હતા. યુવરાજસિંહ પણ તેમની સાથે રાત્રે હાજર હતા. આંદોલન કરવા માટે આવેલા ઉમેદવારો સાથે જમાવટની ટીમે વાત કરી હતી. ત્યારે આજે  ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.