ગાંધીનગરમાં કાયમી શિક્ષકની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, CM અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-19 15:47:50

ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે આંદોલન કર્યું હતું.  ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે, સરકાર સુધી તેમની માગ, રજૂઆત પહોંચે તે માટે અનેક વખત પ્રયત્નો કર્યા. કરાર આધારિત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકૂલ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી રજૂઆત!  

ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શળા ચાલે છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જેને લઈ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા, આંદોલન કરવા માટે બેઠા હતા પરંતુ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાત્રે ઉમેદવારો ગાંધીનગરમાં જ રોકાયા હતા. 




રાત્રે પણ ઉમેદવારો હતા ગાંધીનગરમાં 

ગઈકાલે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવા માટે આવ્યા હતા. રસ્તા પર બેસી તેમણે આંદોલન કર્યું હતું. વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાંથી જ્યારે તેઓ છુટ્યા તે બાદ તેમણે મોડી રાત્રે ગાંધીનગરમાં ફરી એક વખત ધરણા કરવા બેસી ગયા હતા. યુવરાજસિંહ પણ તેમની સાથે રાત્રે હાજર હતા. આંદોલન કરવા માટે આવેલા ઉમેદવારો સાથે જમાવટની ટીમે વાત કરી હતી. ત્યારે આજે  ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે.   




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.