મારી અને સમાજની ઈચ્છા છે કે અમારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનેઃ અલ્પેશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-08 21:34:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજના દિવસે મુખ્યમંત્રી પદ મામલે મોટું નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે મારી અને ઠાકોર સમાજની ઈચ્છા છે કે ગુજરાતનો મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને. 


પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશઃ અલ્પેશ ઠાકોર 

આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ હતું. તેઓએ કાર્યક્રમાં પધારી અને મોટી માગ પોતાની પાર્ટી સમક્ષ મૂકી દીધી હતી. તેમણે સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે ઠાકોર સમાજમાંથી આ વખતે મુખ્યમંત્રી બને. તમામ લોકોએ પોતાની લાગણી મૂકવાનો અધિકાર હોય છે. કારણ કે મુખ્યમંત્રીને ધારાસભ્યોએ પસંદ કરવાનો હોય છે. આથી તમામ પક્ષો પોતાની લાગણી મૂકી શકે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પાર્ટી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. પાર્ટીનો નિર્ણય મારા માટે શીરોમાન્ય હશે. પોતાની ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. 


અગાઉ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ દાવેદારી માટે માગ કરી ચૂક્યા છે પરંતુ, તેમના જ સમાજના ઉમેદવારે બળવો પોકારી અલ્પેશ ઠાકોરને ચૂપ કરાવી દીધા હતા. હવે ભાજપના આયાતી નેતા તેમનો પક્ષ કઈ જગ્યાથી ચૂંટણી લડાવશે તે જોવાનું રહેશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.