મારી અને સમાજની ઈચ્છા છે કે અમારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનેઃ અલ્પેશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-08 21:34:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજના દિવસે મુખ્યમંત્રી પદ મામલે મોટું નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે મારી અને ઠાકોર સમાજની ઈચ્છા છે કે ગુજરાતનો મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને. 


પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશઃ અલ્પેશ ઠાકોર 

આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ હતું. તેઓએ કાર્યક્રમાં પધારી અને મોટી માગ પોતાની પાર્ટી સમક્ષ મૂકી દીધી હતી. તેમણે સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે ઠાકોર સમાજમાંથી આ વખતે મુખ્યમંત્રી બને. તમામ લોકોએ પોતાની લાગણી મૂકવાનો અધિકાર હોય છે. કારણ કે મુખ્યમંત્રીને ધારાસભ્યોએ પસંદ કરવાનો હોય છે. આથી તમામ પક્ષો પોતાની લાગણી મૂકી શકે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પાર્ટી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. પાર્ટીનો નિર્ણય મારા માટે શીરોમાન્ય હશે. પોતાની ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. 


અગાઉ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ દાવેદારી માટે માગ કરી ચૂક્યા છે પરંતુ, તેમના જ સમાજના ઉમેદવારે બળવો પોકારી અલ્પેશ ઠાકોરને ચૂપ કરાવી દીધા હતા. હવે ભાજપના આયાતી નેતા તેમનો પક્ષ કઈ જગ્યાથી ચૂંટણી લડાવશે તે જોવાનું રહેશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.