મારી અને સમાજની ઈચ્છા છે કે અમારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનેઃ અલ્પેશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-08 21:34:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજના દિવસે મુખ્યમંત્રી પદ મામલે મોટું નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે મારી અને ઠાકોર સમાજની ઈચ્છા છે કે ગુજરાતનો મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને. 


પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશઃ અલ્પેશ ઠાકોર 

આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ હતું. તેઓએ કાર્યક્રમાં પધારી અને મોટી માગ પોતાની પાર્ટી સમક્ષ મૂકી દીધી હતી. તેમણે સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે ઠાકોર સમાજમાંથી આ વખતે મુખ્યમંત્રી બને. તમામ લોકોએ પોતાની લાગણી મૂકવાનો અધિકાર હોય છે. કારણ કે મુખ્યમંત્રીને ધારાસભ્યોએ પસંદ કરવાનો હોય છે. આથી તમામ પક્ષો પોતાની લાગણી મૂકી શકે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પાર્ટી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. પાર્ટીનો નિર્ણય મારા માટે શીરોમાન્ય હશે. પોતાની ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. 


અગાઉ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ દાવેદારી માટે માગ કરી ચૂક્યા છે પરંતુ, તેમના જ સમાજના ઉમેદવારે બળવો પોકારી અલ્પેશ ઠાકોરને ચૂપ કરાવી દીધા હતા. હવે ભાજપના આયાતી નેતા તેમનો પક્ષ કઈ જગ્યાથી ચૂંટણી લડાવશે તે જોવાનું રહેશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.