વિડિયોકોન લોન કેસ: ચંદા કોચર અને દીપક કોચરને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2023-01-09 12:35:37

ICICI બેંક- વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેંકની પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની મુક્તીનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તેમની તેમની ધરપકડ કાનુની નથી. ચંદા કોચર અને દીપક કોચરે જામીન માટે અરજી કરી હતી. તેનો સ્વિકાર કરી કોર્ટે તેમના જામીન મંજુર કર્યા હતા. 


23 ડિસેમ્બરે થઈ હતી ધરપકડ

ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ 23 ડિસેમ્બરના દિવસે કરવામાં આવી હતી. બંનેને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, જ્યા સીબીઆઈએપૂછપરછમાં સહયોગ નહીં આપવાના કારણે બાદમાં તેમની ધરપકડ કરી લીધી હતી.  26 ડિસેમ્બરે વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરવામાં આવી હતી. 3250 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં તેમના પર આરોપ છે. આ કેસની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.