વિડિયોકોન લોન કેસ: ચંદા કોચર અને દીપક કોચરને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2023-01-09 12:35:37

ICICI બેંક- વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેંકની પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની મુક્તીનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તેમની તેમની ધરપકડ કાનુની નથી. ચંદા કોચર અને દીપક કોચરે જામીન માટે અરજી કરી હતી. તેનો સ્વિકાર કરી કોર્ટે તેમના જામીન મંજુર કર્યા હતા. 


23 ડિસેમ્બરે થઈ હતી ધરપકડ

ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ 23 ડિસેમ્બરના દિવસે કરવામાં આવી હતી. બંનેને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, જ્યા સીબીઆઈએપૂછપરછમાં સહયોગ નહીં આપવાના કારણે બાદમાં તેમની ધરપકડ કરી લીધી હતી.  26 ડિસેમ્બરે વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરવામાં આવી હતી. 3250 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં તેમના પર આરોપ છે. આ કેસની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.