12 વાગ્યા પછી જો ગરબા ચાલશે અને કોઈની ફરિયાદ આવશે તો પોલીસે કરવી પડશે કાર્યવાહી, હાઈકોર્ટનો આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 16:25:19

ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. અને નવરાત્રીની ઉજવણી થતી હોય ત્યારે તો વાત જ અલગ હોય છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોલીસ 12 વાગ્યે આવીને ગરબા બંધ નહીં કરાવે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. આ જાહેરાત થયાના બીજા દિવસે જ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.  પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. 

gujarat highcourt to consider pil of gujarati language in court proceedings  - ગુજરાત હાઇકોર્ટ કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાના ઉપયોગ મુદ્દે આપશે  ચુકાદો – News18 Gujarati

12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ રમી શકે છે ગરબા - હર્ષ સંઘવી 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગરબાને લઈ અનેરો ઉત્સાહ ગરબા ચાહકોમાં જોવા મળતો હોય છે. ગુજરાતમાં પહેલા બાર વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવતી હતી. 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી. પરંતુ ખેલૈયાઓમાં આનંદમાં, ખેલૈયાઓના ઉત્સાહમાં ત્યારે વધારો થયો જ્યારે હર્ષ સંઘવીએ મૌખિક રીતે જાહેરાત કરી હતી કે 12 વાગે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.     

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

harsh sanghvi pc on drugs network - હર્ષ સંઘવીની ડ્રગ્સ મામલે પ્રેસ  કોન્ફરન્સ – News18 Gujarati

જો કોઈ ફરિયાદ થશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે - હાઈકોર્ટ    

ગરબા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હર્ષ સંઘવીની જાહેરાત બાદ સ્થાનિકો હાઈકોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.   



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.