12 વાગ્યા પછી જો ગરબા ચાલશે અને કોઈની ફરિયાદ આવશે તો પોલીસે કરવી પડશે કાર્યવાહી, હાઈકોર્ટનો આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 16:25:19

ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. અને નવરાત્રીની ઉજવણી થતી હોય ત્યારે તો વાત જ અલગ હોય છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોલીસ 12 વાગ્યે આવીને ગરબા બંધ નહીં કરાવે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. આ જાહેરાત થયાના બીજા દિવસે જ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.  પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. 

gujarat highcourt to consider pil of gujarati language in court proceedings  - ગુજરાત હાઇકોર્ટ કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાના ઉપયોગ મુદ્દે આપશે  ચુકાદો – News18 Gujarati

12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ રમી શકે છે ગરબા - હર્ષ સંઘવી 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગરબાને લઈ અનેરો ઉત્સાહ ગરબા ચાહકોમાં જોવા મળતો હોય છે. ગુજરાતમાં પહેલા બાર વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવતી હતી. 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી. પરંતુ ખેલૈયાઓમાં આનંદમાં, ખેલૈયાઓના ઉત્સાહમાં ત્યારે વધારો થયો જ્યારે હર્ષ સંઘવીએ મૌખિક રીતે જાહેરાત કરી હતી કે 12 વાગે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.     

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

harsh sanghvi pc on drugs network - હર્ષ સંઘવીની ડ્રગ્સ મામલે પ્રેસ  કોન્ફરન્સ – News18 Gujarati

જો કોઈ ફરિયાદ થશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે - હાઈકોર્ટ    

ગરબા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હર્ષ સંઘવીની જાહેરાત બાદ સ્થાનિકો હાઈકોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.