જો આ તારીખો બાદ વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાન થશે! Ambalal Patelએ જણાવ્યું કે આ મહિને જો વરસાદ પડશે તો...! સાંભળો તેમની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-08 09:54:21

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. મેઘરાજાની સવારી આવતા ખેડૂતોના ચહેરા પર છવાયેલું ટેન્શન થોડુક ઓછું થયું છે. ખેતી વરસાદ પર આધારીત રહેલી હોય છે, અને ખેતી પર આખા ભારતનું અર્થતંત્ર નિર્ભર હોય છે. સારો વરસાદ થાય તો ખેડૂતોને નફો થાય અને જો સારો વરસાદ ન થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

આગામી દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે વરસાદ વરસે તે બાદ ગરમી ઓછી થઈ જશે. વાતાવરણમાં ઠંડક વ્યાપી ઉઠશે પરંતુ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે થોડી અલગ છે. આગામી દિવસોમાં ગરમી વધારે પડવાની છે. હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને આ જ ગરમીને કારણે  વરસાદ આવી રહ્યો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ગરમી થવાને કારણે લો પ્રેશર સર્જાય છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. 


20 તારીખ સુધી વરસાદી માહોલ યથવાત રહેશે!

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. 16થી 20 તારીખ દરમિયાન તો સિસ્ટમ સક્રિય થવાની છે પરંતુ 20 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનાર દિવસોમાં જબરદસ્ત ગરમી પડશે જેને કારણે અનેક લો પ્રેશર બનશે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, અનેક ભાગોમાં વરસાદ થશે. 


આ જગ્યાઓ પર થશે ભારેથી અતિભારે વરસાદ 

અંબાલાલ કાકાની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના છે. બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. 12 તારીખ સુધી વરસાદ તો યથાવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતના  ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં તો અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગો એવા છે જ્યાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે અંબાલાલ કાકાની આગાહીને સાચી માનવામાં આવે છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.