જો આ તારીખો બાદ વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાન થશે! Ambalal Patelએ જણાવ્યું કે આ મહિને જો વરસાદ પડશે તો...! સાંભળો તેમની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-08 09:54:21

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. મેઘરાજાની સવારી આવતા ખેડૂતોના ચહેરા પર છવાયેલું ટેન્શન થોડુક ઓછું થયું છે. ખેતી વરસાદ પર આધારીત રહેલી હોય છે, અને ખેતી પર આખા ભારતનું અર્થતંત્ર નિર્ભર હોય છે. સારો વરસાદ થાય તો ખેડૂતોને નફો થાય અને જો સારો વરસાદ ન થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

આગામી દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે વરસાદ વરસે તે બાદ ગરમી ઓછી થઈ જશે. વાતાવરણમાં ઠંડક વ્યાપી ઉઠશે પરંતુ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે થોડી અલગ છે. આગામી દિવસોમાં ગરમી વધારે પડવાની છે. હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને આ જ ગરમીને કારણે  વરસાદ આવી રહ્યો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ગરમી થવાને કારણે લો પ્રેશર સર્જાય છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. 


20 તારીખ સુધી વરસાદી માહોલ યથવાત રહેશે!

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. 16થી 20 તારીખ દરમિયાન તો સિસ્ટમ સક્રિય થવાની છે પરંતુ 20 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનાર દિવસોમાં જબરદસ્ત ગરમી પડશે જેને કારણે અનેક લો પ્રેશર બનશે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, અનેક ભાગોમાં વરસાદ થશે. 


આ જગ્યાઓ પર થશે ભારેથી અતિભારે વરસાદ 

અંબાલાલ કાકાની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના છે. બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. 12 તારીખ સુધી વરસાદ તો યથાવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતના  ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં તો અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગો એવા છે જ્યાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે અંબાલાલ કાકાની આગાહીને સાચી માનવામાં આવે છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.