જો આ તારીખો બાદ વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાન થશે! Ambalal Patelએ જણાવ્યું કે આ મહિને જો વરસાદ પડશે તો...! સાંભળો તેમની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-08 09:54:21

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. મેઘરાજાની સવારી આવતા ખેડૂતોના ચહેરા પર છવાયેલું ટેન્શન થોડુક ઓછું થયું છે. ખેતી વરસાદ પર આધારીત રહેલી હોય છે, અને ખેતી પર આખા ભારતનું અર્થતંત્ર નિર્ભર હોય છે. સારો વરસાદ થાય તો ખેડૂતોને નફો થાય અને જો સારો વરસાદ ન થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

આગામી દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે વરસાદ વરસે તે બાદ ગરમી ઓછી થઈ જશે. વાતાવરણમાં ઠંડક વ્યાપી ઉઠશે પરંતુ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે થોડી અલગ છે. આગામી દિવસોમાં ગરમી વધારે પડવાની છે. હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને આ જ ગરમીને કારણે  વરસાદ આવી રહ્યો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ગરમી થવાને કારણે લો પ્રેશર સર્જાય છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. 


20 તારીખ સુધી વરસાદી માહોલ યથવાત રહેશે!

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. 16થી 20 તારીખ દરમિયાન તો સિસ્ટમ સક્રિય થવાની છે પરંતુ 20 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનાર દિવસોમાં જબરદસ્ત ગરમી પડશે જેને કારણે અનેક લો પ્રેશર બનશે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, અનેક ભાગોમાં વરસાદ થશે. 


આ જગ્યાઓ પર થશે ભારેથી અતિભારે વરસાદ 

અંબાલાલ કાકાની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના છે. બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. 12 તારીખ સુધી વરસાદ તો યથાવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતના  ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં તો અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગો એવા છે જ્યાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે અંબાલાલ કાકાની આગાહીને સાચી માનવામાં આવે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.