જો લોકો કહેશે તો હું કેસ છોડી દઈશ પણ પછી શું? જાણો કોર્ટ રૂમની બહાર શું કહ્યું તથ્યના વકીલે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-22 15:18:21

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો જેને લઈ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો હતો. એક્સિડન્ટ મુદ્દે જ્યારે પિતાને જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને તથ્યને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલ તેમજ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી હતી. જે રીતના તર્ક પિતા તેમજ વકીલ આપી રહ્યા હતા તે એકદમ નિંદનીય હતું. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા જ તથ્યને પિતાએ અને વકીલ નિશાર વૈદ્યે તેને નિર્દોષ જાહેર કરી દીધા હતા. લોકોમાં પિતા પ્રત્યે તેમજ વકીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. વકીલની ટીકાઓ તેમજ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા પિતા-પુત્રને 

તમને યાદ હશે નકલી પીએમઓ બની લોકો તેમજ અધિકારીઓને મુર્ખ બનાવનાર કિરણ પટેલની કહાની વિશે. પીએમઓ અધિકારી બની લોકોને જે રીતના મુર્ખ બનાવ્યા તે કેસ જેણે લડ્યો હતો તે જ વકીલ તથ્ય પટેલનો કેસ લડી રહ્યા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો છે. તપાસ દરમિયાન અનેક વસ્તુઓ બહાર આવી શકે છે. 


કેસને લઈ તથ્ય પટેલના વકીલે કહી આ વાત

આ બધા વચ્ચે મુખ્યત્વે દરેક જગ્યાએ વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. કોર્ટ સમક્ષ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા ઓછી રિમાન્ડ આપવામાં આવે તેવી રજૂઆત તથ્યના વકીલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટની બહાર આવીને જે નિવેદન વકીલ વૈદ્યએ આપ્યું હતું તે એકદમ ચોકાંવનારૂં હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે બધાએ તેમને નિર્દય માણસની જેમ ચીતર્યો છે પરંતુ હું નિર્દયી નથી. તમે બધા મને કહેતા હોઉ, મારા ભારતની પ્રજા એવું કહેશે કે હું તથ્યનો કેસ છોડી દઈશ, તો હું છોડી દઈશ. મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવશે. જે કામ હું કરી રહ્યો છું તે કામ તે કરશે. જો કોઈનું દિલ દુખાયું હોય તો હું તેમની માફી માગું છું..    



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે