જો લોકો કહેશે તો હું કેસ છોડી દઈશ પણ પછી શું? જાણો કોર્ટ રૂમની બહાર શું કહ્યું તથ્યના વકીલે?


  • Published By :
  • Published Date : 2023-07-22 15:18:21

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો જેને લઈ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો હતો. એક્સિડન્ટ મુદ્દે જ્યારે પિતાને જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને તથ્યને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલ તેમજ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી હતી. જે રીતના તર્ક પિતા તેમજ વકીલ આપી રહ્યા હતા તે એકદમ નિંદનીય હતું. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા જ તથ્યને પિતાએ અને વકીલ નિશાર વૈદ્યે તેને નિર્દોષ જાહેર કરી દીધા હતા. લોકોમાં પિતા પ્રત્યે તેમજ વકીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. વકીલની ટીકાઓ તેમજ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા પિતા-પુત્રને 

તમને યાદ હશે નકલી પીએમઓ બની લોકો તેમજ અધિકારીઓને મુર્ખ બનાવનાર કિરણ પટેલની કહાની વિશે. પીએમઓ અધિકારી બની લોકોને જે રીતના મુર્ખ બનાવ્યા તે કેસ જેણે લડ્યો હતો તે જ વકીલ તથ્ય પટેલનો કેસ લડી રહ્યા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો છે. તપાસ દરમિયાન અનેક વસ્તુઓ બહાર આવી શકે છે. 


કેસને લઈ તથ્ય પટેલના વકીલે કહી આ વાત

આ બધા વચ્ચે મુખ્યત્વે દરેક જગ્યાએ વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. કોર્ટ સમક્ષ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા ઓછી રિમાન્ડ આપવામાં આવે તેવી રજૂઆત તથ્યના વકીલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટની બહાર આવીને જે નિવેદન વકીલ વૈદ્યએ આપ્યું હતું તે એકદમ ચોકાંવનારૂં હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે બધાએ તેમને નિર્દય માણસની જેમ ચીતર્યો છે પરંતુ હું નિર્દયી નથી. તમે બધા મને કહેતા હોઉ, મારા ભારતની પ્રજા એવું કહેશે કે હું તથ્યનો કેસ છોડી દઈશ, તો હું છોડી દઈશ. મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવશે. જે કામ હું કરી રહ્યો છું તે કામ તે કરશે. જો કોઈનું દિલ દુખાયું હોય તો હું તેમની માફી માગું છું..    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.