જો લોકો કહેશે તો હું કેસ છોડી દઈશ પણ પછી શું? જાણો કોર્ટ રૂમની બહાર શું કહ્યું તથ્યના વકીલે?


  • Published By :
  • Published Date : 2023-07-22 15:18:21

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો જેને લઈ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો હતો. એક્સિડન્ટ મુદ્દે જ્યારે પિતાને જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને તથ્યને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલ તેમજ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી હતી. જે રીતના તર્ક પિતા તેમજ વકીલ આપી રહ્યા હતા તે એકદમ નિંદનીય હતું. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા જ તથ્યને પિતાએ અને વકીલ નિશાર વૈદ્યે તેને નિર્દોષ જાહેર કરી દીધા હતા. લોકોમાં પિતા પ્રત્યે તેમજ વકીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. વકીલની ટીકાઓ તેમજ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા પિતા-પુત્રને 

તમને યાદ હશે નકલી પીએમઓ બની લોકો તેમજ અધિકારીઓને મુર્ખ બનાવનાર કિરણ પટેલની કહાની વિશે. પીએમઓ અધિકારી બની લોકોને જે રીતના મુર્ખ બનાવ્યા તે કેસ જેણે લડ્યો હતો તે જ વકીલ તથ્ય પટેલનો કેસ લડી રહ્યા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો છે. તપાસ દરમિયાન અનેક વસ્તુઓ બહાર આવી શકે છે. 


કેસને લઈ તથ્ય પટેલના વકીલે કહી આ વાત

આ બધા વચ્ચે મુખ્યત્વે દરેક જગ્યાએ વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. કોર્ટ સમક્ષ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા ઓછી રિમાન્ડ આપવામાં આવે તેવી રજૂઆત તથ્યના વકીલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટની બહાર આવીને જે નિવેદન વકીલ વૈદ્યએ આપ્યું હતું તે એકદમ ચોકાંવનારૂં હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે બધાએ તેમને નિર્દય માણસની જેમ ચીતર્યો છે પરંતુ હું નિર્દયી નથી. તમે બધા મને કહેતા હોઉ, મારા ભારતની પ્રજા એવું કહેશે કે હું તથ્યનો કેસ છોડી દઈશ, તો હું છોડી દઈશ. મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવશે. જે કામ હું કરી રહ્યો છું તે કામ તે કરશે. જો કોઈનું દિલ દુખાયું હોય તો હું તેમની માફી માગું છું..    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.