Police હેરાન કરે છે તો આ નંબર પર કરી શકાશે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ, 15 દિવસમાં એક્ટિવ થશે નંબર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 16:47:39

જ્યારે આપણી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય, કોઈ આપણને હેરાન કરતું હોય તે પછી આવી અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે આપણે પોલીસને ફરિયાદ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પોલીસથી જ આપણને ફરિયાદ હોય ત્યારે? પોલીસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન, અનેક પોલીસનો તોડ કરતા વીડિયો સામે આવ્યા બાદ પોલીસની ફરિયાદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સામે ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે હેલ્પલાઈન નંબર છે 14449.  

ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર 

છેલ્લા થોડા સમયથી પોલીસ ચર્ચામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર, પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે. અનેક વખત તોડકાંડના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા તોડકાંડનો વીડિયો સામે આવ્યો હતો જે બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. એસીબી દ્વારા પણ આ અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ પર પોલીસ જ વોચ રાખશે. હાઈકોર્ટમાં સરકારે બાંહેધારી આપી હતી કે ટૂંક સમયમાં એક હેલ્પલાઈન નંબર એક્ટિવ થશે જેની પર પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી શકાશે. 14449 નંબર 15 દિવસ બાદ એક્ટિવ થશે અને તે હેલ્પલાઈન 24/7 કાર્યરત રહેશે. 



14449 નંબર પર કરી શકાશે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ  

મહત્વનું છે કે જ્યારે પણ કોઈ નાગરિકને ફરિયાદ હોતી હતી ત્યારે પોલીસની સહાય મેળવવા માટે 100 નંબર ડાયલ કરતા હોય છે પરંતુ અનેક વખત જે કાર્યવાહી કરવામાં આવતી હોય તેની પર પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય તો નાગરિકો ક્યાં ફરિયાદ કરે એ એક પ્રશ્ન હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 14449 જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લોકો કરી શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.