Police હેરાન કરે છે તો આ નંબર પર કરી શકાશે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ, 15 દિવસમાં એક્ટિવ થશે નંબર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 16:47:39

જ્યારે આપણી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય, કોઈ આપણને હેરાન કરતું હોય તે પછી આવી અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે આપણે પોલીસને ફરિયાદ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પોલીસથી જ આપણને ફરિયાદ હોય ત્યારે? પોલીસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન, અનેક પોલીસનો તોડ કરતા વીડિયો સામે આવ્યા બાદ પોલીસની ફરિયાદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સામે ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે હેલ્પલાઈન નંબર છે 14449.  

ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર 

છેલ્લા થોડા સમયથી પોલીસ ચર્ચામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર, પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે. અનેક વખત તોડકાંડના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા તોડકાંડનો વીડિયો સામે આવ્યો હતો જે બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. એસીબી દ્વારા પણ આ અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ પર પોલીસ જ વોચ રાખશે. હાઈકોર્ટમાં સરકારે બાંહેધારી આપી હતી કે ટૂંક સમયમાં એક હેલ્પલાઈન નંબર એક્ટિવ થશે જેની પર પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી શકાશે. 14449 નંબર 15 દિવસ બાદ એક્ટિવ થશે અને તે હેલ્પલાઈન 24/7 કાર્યરત રહેશે. 



14449 નંબર પર કરી શકાશે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ  

મહત્વનું છે કે જ્યારે પણ કોઈ નાગરિકને ફરિયાદ હોતી હતી ત્યારે પોલીસની સહાય મેળવવા માટે 100 નંબર ડાયલ કરતા હોય છે પરંતુ અનેક વખત જે કાર્યવાહી કરવામાં આવતી હોય તેની પર પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય તો નાગરિકો ક્યાં ફરિયાદ કરે એ એક પ્રશ્ન હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 14449 જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લોકો કરી શકે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.