Gujaratની Police કે સરકારી અધિકારી ચોરી કરે છે તો એ ચોરીના હિસ્સેદાર તમે શું કામ બનો છો? ફોન કરો ACBમાં અને ખુલ્લા પાડો એમને...


  • Published By :
  • Published Date : 2024-02-29 14:10:01

જ્યારે આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પૈસા ખવડાવીએ ત્યાં સુધી આપણું કામ નહીં થાય, આપણી ફાઈલ આગળ નહીં વધે. મહદઅંશે વાત પણ સાચી છે, જ્યારે સરકારી ઓફિસમાં આપણે જઈએ છીએ ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્યાં સુધી આપણે લાંચ નથી આપતા ત્યાં સુધી આપણું કામ નથી થતું. આપણે સવાલ માત્ર એવા લોકો સામે કરીએ છીએ કે જે લાંચ લેતા હોય છે પરંતુ તે વ્યક્તિઓને આપણે ભૂલી જઈએ છીએ કે લાંચ એ ત્યારે જ લે છે જ્યારે આપણે આપીએ છીએ. આપણું કામ ના અટકે તે માટે આપણે પૈસા આપતા હોઈએ છીએ અને પછી વાંક કાઢીએ છીએ સરકારી કર્મચારીઓનો.! મહત્વનું છે કે ઘણી વખત અધિકારીઓ દ્વારા પણ સામાન્ય માણસોને હેરાન કરવામાં આવતા હોય છે જો પૈસા નથી આપવામાં આવતા તો...   

વિભાગમાં રહીને જ્યારે અધિકારી નિષ્ઠાથી કામ કરે છે ત્યારે જ....

લાંચ લેવાવાળા જેટલા દોષિ છે તેટલા જ દોષિ લાંચ આપવા વાળા છે. આપણે જ માની લેતા હોઈએ છીએ કે પૈસા આપ્યા વગર આપણું કામ નથી થાય. કદાચ એ લાંચ લેવા માટે પ્રોત્સાહિત આપણે જ કરતા હોઈએ છીએ અનેક ઘટનાઓમાં. પોલીસ વિભાગ ખરાબ છે તેની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ પરંતુ તે જ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અનેક વખત પ્રશંસનિય છે. એસીબી દ્વારા જે કામ કરવામાં આવે છે ત્યારે આવા લાંચિયા અધિકારીઓ પકડાય છે. પૈસા લેતા જ્યારે એસીબી પકડે છે ત્યારે આવા અધિકારીઓ પકડાય છે. જો એસીબી નિષ્ઠા પૂર્વક કામ ન કરતી હોત તો આવા અધિકારીઓ પકડાય જ નહીં.


જેટલા દોષિ લાંચ લેનારા અધિકારી છે તેટલા દોષિ લાંચ આપનાર વ્યક્તિ પણ છે! 

પોલીસને પણ પોલીસ અધિકારીઓનો ડર હોય છે જે પ્રામાણિક પણે કાર્ય કરે છે. જ્યારે ઝાડ પર વર્દી લટકાવીને કોઈ પોલીસકર્મી જતો રહે છે ત્યારે તેને પણ એજ પોલીસ વિભાગનો ડર હોય છે. આપણે જ્યારે લાંચ લેતા અધિકારીને કહીએ છીએ કે તે લાંચિયો છે તો લાંચ આપનારા પણ એ જ ક્ષેણીમાં આવી જાય છે. તમે સામાન્ય માણસ છો અને તે સરકારી કર્મચારી એટલે તમે દોષિ ના ગણાવ તે ખોટું છે. જો આપણે સરકારી કર્મચારીને લાંચિયો કહીએ છીએ તો લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ ગુન્હેગાર છે.


1064 પર ફોન કરી લાંચ લેતા અધિકારી વિરૂદ્ધ કરી શકાય છે ફરિયાદ!

જો તમને કોઈ લાંચ લેતા પકડાય અથવા તો લાંચની માગણી કરે તો તમે એસીબીને સંપર્ક કરી શકો છે. કોઈ સરકારી અધિકારી સામાન્ય માણસ પાસેથી લાંચ માટે પૈસા માગે છે તો પૈસા આપવાની બદલીમાં 1064 પર કોલ કરી તેના વિરૂદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. તે ઉપરાંત 90999 11055 નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે. બદનસીબીએ છે કે આપણે માત્ર ફરિયાદો કરવા ટેવાયેલા છે. અપેક્ષા એટલી જ જ્યારે ફરિયાદ કરવા માટે સામાન્ય માણસ ફોન કરે તો તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. કારણ કે ઘણી વખત ત્યાં કરવામાં આવતા વ્યવહાર પણ અનેક સવાલો ઉભા કરતા હોય છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.