Gujaratની Police કે સરકારી અધિકારી ચોરી કરે છે તો એ ચોરીના હિસ્સેદાર તમે શું કામ બનો છો? ફોન કરો ACBમાં અને ખુલ્લા પાડો એમને...


  • Published By :
  • Published Date : 2024-02-29 14:10:01

જ્યારે આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પૈસા ખવડાવીએ ત્યાં સુધી આપણું કામ નહીં થાય, આપણી ફાઈલ આગળ નહીં વધે. મહદઅંશે વાત પણ સાચી છે, જ્યારે સરકારી ઓફિસમાં આપણે જઈએ છીએ ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્યાં સુધી આપણે લાંચ નથી આપતા ત્યાં સુધી આપણું કામ નથી થતું. આપણે સવાલ માત્ર એવા લોકો સામે કરીએ છીએ કે જે લાંચ લેતા હોય છે પરંતુ તે વ્યક્તિઓને આપણે ભૂલી જઈએ છીએ કે લાંચ એ ત્યારે જ લે છે જ્યારે આપણે આપીએ છીએ. આપણું કામ ના અટકે તે માટે આપણે પૈસા આપતા હોઈએ છીએ અને પછી વાંક કાઢીએ છીએ સરકારી કર્મચારીઓનો.! મહત્વનું છે કે ઘણી વખત અધિકારીઓ દ્વારા પણ સામાન્ય માણસોને હેરાન કરવામાં આવતા હોય છે જો પૈસા નથી આપવામાં આવતા તો...   

વિભાગમાં રહીને જ્યારે અધિકારી નિષ્ઠાથી કામ કરે છે ત્યારે જ....

લાંચ લેવાવાળા જેટલા દોષિ છે તેટલા જ દોષિ લાંચ આપવા વાળા છે. આપણે જ માની લેતા હોઈએ છીએ કે પૈસા આપ્યા વગર આપણું કામ નથી થાય. કદાચ એ લાંચ લેવા માટે પ્રોત્સાહિત આપણે જ કરતા હોઈએ છીએ અનેક ઘટનાઓમાં. પોલીસ વિભાગ ખરાબ છે તેની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ પરંતુ તે જ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અનેક વખત પ્રશંસનિય છે. એસીબી દ્વારા જે કામ કરવામાં આવે છે ત્યારે આવા લાંચિયા અધિકારીઓ પકડાય છે. પૈસા લેતા જ્યારે એસીબી પકડે છે ત્યારે આવા અધિકારીઓ પકડાય છે. જો એસીબી નિષ્ઠા પૂર્વક કામ ન કરતી હોત તો આવા અધિકારીઓ પકડાય જ નહીં.


જેટલા દોષિ લાંચ લેનારા અધિકારી છે તેટલા દોષિ લાંચ આપનાર વ્યક્તિ પણ છે! 

પોલીસને પણ પોલીસ અધિકારીઓનો ડર હોય છે જે પ્રામાણિક પણે કાર્ય કરે છે. જ્યારે ઝાડ પર વર્દી લટકાવીને કોઈ પોલીસકર્મી જતો રહે છે ત્યારે તેને પણ એજ પોલીસ વિભાગનો ડર હોય છે. આપણે જ્યારે લાંચ લેતા અધિકારીને કહીએ છીએ કે તે લાંચિયો છે તો લાંચ આપનારા પણ એ જ ક્ષેણીમાં આવી જાય છે. તમે સામાન્ય માણસ છો અને તે સરકારી કર્મચારી એટલે તમે દોષિ ના ગણાવ તે ખોટું છે. જો આપણે સરકારી કર્મચારીને લાંચિયો કહીએ છીએ તો લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ ગુન્હેગાર છે.


1064 પર ફોન કરી લાંચ લેતા અધિકારી વિરૂદ્ધ કરી શકાય છે ફરિયાદ!

જો તમને કોઈ લાંચ લેતા પકડાય અથવા તો લાંચની માગણી કરે તો તમે એસીબીને સંપર્ક કરી શકો છે. કોઈ સરકારી અધિકારી સામાન્ય માણસ પાસેથી લાંચ માટે પૈસા માગે છે તો પૈસા આપવાની બદલીમાં 1064 પર કોલ કરી તેના વિરૂદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. તે ઉપરાંત 90999 11055 નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે. બદનસીબીએ છે કે આપણે માત્ર ફરિયાદો કરવા ટેવાયેલા છે. અપેક્ષા એટલી જ જ્યારે ફરિયાદ કરવા માટે સામાન્ય માણસ ફોન કરે તો તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. કારણ કે ઘણી વખત ત્યાં કરવામાં આવતા વ્યવહાર પણ અનેક સવાલો ઉભા કરતા હોય છે.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.