આઇઆઇએમ અમદાવાદનો લોગો બદલાયો ,સંસ્કૃત શબ્દોને લોગોની નીચે લખાયા !!


  • Published By :
  • Published Date : 2022-11-03 19:49:02


IIMમાં છેલ્લા કેટલાય સમયથી લોગો બદલવા માટે વિવાદ ચાલી રહ્યો હતો કે ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં IIM ના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવ્યો હોવાથી ફેકલ્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોર્ડ ઓફ ગવર્ન્સની મિટિંગમાં લોગોમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને હવે લોગોમાં બદલાવ કરી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે.


AHMEDABADને બદલી IIMA લખવામાં આવ્યું !!!

IIM અમદાવાદમાં જુના લોગોમાં IIM અને તેની નીચે AHMEDABAD લખવામાં આવ્યું હતું તે બદલીને IIMA કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુના લોગોની અંદર વિદ્યાવિનિયોગાદ્વિકાસ: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત લોગોની અંદર જે જાળી હતી તે જાળીને નવા લોગોમાં વધુ બોલ્ડ કરવામાં આવી છે. 


આના પર થયો વિરોધ !!


IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ કહ્યું , અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.