આઇઆઇએમ અમદાવાદનો લોગો બદલાયો ,સંસ્કૃત શબ્દોને લોગોની નીચે લખાયા !!


  • Published By :
  • Published Date : 2022-11-03 19:49:02


IIMમાં છેલ્લા કેટલાય સમયથી લોગો બદલવા માટે વિવાદ ચાલી રહ્યો હતો કે ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં IIM ના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવ્યો હોવાથી ફેકલ્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોર્ડ ઓફ ગવર્ન્સની મિટિંગમાં લોગોમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને હવે લોગોમાં બદલાવ કરી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે.


AHMEDABADને બદલી IIMA લખવામાં આવ્યું !!!

IIM અમદાવાદમાં જુના લોગોમાં IIM અને તેની નીચે AHMEDABAD લખવામાં આવ્યું હતું તે બદલીને IIMA કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુના લોગોની અંદર વિદ્યાવિનિયોગાદ્વિકાસ: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત લોગોની અંદર જે જાળી હતી તે જાળીને નવા લોગોમાં વધુ બોલ્ડ કરવામાં આવી છે. 


આના પર થયો વિરોધ !!


IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ કહ્યું , અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.







ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.