બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધે તે પહેલા ફટાફટ ખરીદી લો આ ચીજો, મોંઘી થશે 35 વસ્તુઓ


  • Published By :
  • Published Date : 2023-01-09 13:24:39

નાણામંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના દિવસે નાણાકિય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. તેમાં અનેક પ્રકારના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃધ્ધીની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 35થી વધુ ચીજોની આયાત પર ટેકસમાં વધારો થઈ શકે છે. વિવિધ મંત્રાલયો પાસેથી ઈનપુટ મળ્યા બાદ સરકારે આવા સામાનોની એક યાદી તૈયાર કરી છે.


કઈ ચીજો થઈ શકે મોંઘી!


સરકારે જે મોંઘી ચીજોની યાદી તૈયાર કરી છે જેમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર, ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણ, પ્લાસ્ટીકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન્સનો સમાવેશ થાય છે. આયાત ઘટાડવા અને દેશમાં આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ચીજો પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. ગત વર્ષે પણ સરકારે બજેટમાં અનેક ચીજો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.


સ્વદેશીને પ્રોત્સાહન  


વર્ષ 2014માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો હતો. સરકાર સ્થાનિક સ્તરે આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગત વર્ષે બજેટમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયર ફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. તે પહેલા સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.