બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધે તે પહેલા ફટાફટ ખરીદી લો આ ચીજો, મોંઘી થશે 35 વસ્તુઓ


  • Published By :
  • Published Date : 2023-01-09 13:24:39

નાણામંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના દિવસે નાણાકિય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. તેમાં અનેક પ્રકારના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃધ્ધીની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 35થી વધુ ચીજોની આયાત પર ટેકસમાં વધારો થઈ શકે છે. વિવિધ મંત્રાલયો પાસેથી ઈનપુટ મળ્યા બાદ સરકારે આવા સામાનોની એક યાદી તૈયાર કરી છે.


કઈ ચીજો થઈ શકે મોંઘી!


સરકારે જે મોંઘી ચીજોની યાદી તૈયાર કરી છે જેમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર, ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણ, પ્લાસ્ટીકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન્સનો સમાવેશ થાય છે. આયાત ઘટાડવા અને દેશમાં આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ચીજો પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. ગત વર્ષે પણ સરકારે બજેટમાં અનેક ચીજો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.


સ્વદેશીને પ્રોત્સાહન  


વર્ષ 2014માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો હતો. સરકાર સ્થાનિક સ્તરે આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગત વર્ષે બજેટમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયર ફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. તે પહેલા સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.