બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધે તે પહેલા ફટાફટ ખરીદી લો આ ચીજો, મોંઘી થશે 35 વસ્તુઓ


  • Published By :
  • Published Date : 2023-01-09 13:24:39

નાણામંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના દિવસે નાણાકિય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. તેમાં અનેક પ્રકારના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃધ્ધીની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 35થી વધુ ચીજોની આયાત પર ટેકસમાં વધારો થઈ શકે છે. વિવિધ મંત્રાલયો પાસેથી ઈનપુટ મળ્યા બાદ સરકારે આવા સામાનોની એક યાદી તૈયાર કરી છે.


કઈ ચીજો થઈ શકે મોંઘી!


સરકારે જે મોંઘી ચીજોની યાદી તૈયાર કરી છે જેમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર, ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણ, પ્લાસ્ટીકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન્સનો સમાવેશ થાય છે. આયાત ઘટાડવા અને દેશમાં આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ચીજો પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. ગત વર્ષે પણ સરકારે બજેટમાં અનેક ચીજો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.


સ્વદેશીને પ્રોત્સાહન  


વર્ષ 2014માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો હતો. સરકાર સ્થાનિક સ્તરે આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગત વર્ષે બજેટમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયર ફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. તે પહેલા સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.