બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધે તે પહેલા ફટાફટ ખરીદી લો આ ચીજો, મોંઘી થશે 35 વસ્તુઓ


  • Published By :
  • Published Date : 2023-01-09 13:24:39

નાણામંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના દિવસે નાણાકિય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. તેમાં અનેક પ્રકારના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃધ્ધીની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 35થી વધુ ચીજોની આયાત પર ટેકસમાં વધારો થઈ શકે છે. વિવિધ મંત્રાલયો પાસેથી ઈનપુટ મળ્યા બાદ સરકારે આવા સામાનોની એક યાદી તૈયાર કરી છે.


કઈ ચીજો થઈ શકે મોંઘી!


સરકારે જે મોંઘી ચીજોની યાદી તૈયાર કરી છે જેમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર, ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણ, પ્લાસ્ટીકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન્સનો સમાવેશ થાય છે. આયાત ઘટાડવા અને દેશમાં આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ચીજો પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. ગત વર્ષે પણ સરકારે બજેટમાં અનેક ચીજો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.


સ્વદેશીને પ્રોત્સાહન  


વર્ષ 2014માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો હતો. સરકાર સ્થાનિક સ્તરે આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગત વર્ષે બજેટમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયર ફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. તે પહેલા સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.