ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:13:48

  • રાજ્ય સરકારનો નિર્ણયઃ ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી શકાશે
  • આ નિયમ પ્રમાણે બનેલા ગેરકાયદેસર બાંધકામ પર ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરાશે
  • રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને દોહરાવ્યો છે

  • રાજ્યમાં ફરી લાગુ થઈ શકે છે ઈમ્પેક્ટ ફીનો કાયદો | Impact fee law can be  re-applied in the state
  • રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ ના હોવાથી આચારસંહિતા અમલમાં આવી નથી. આવામાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના કારણે મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામોના પ્રશ્નનું સમાધાન થશે. જેમાં ઈમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામોને કાયદેસર કરવામાં આવશે. આ નિર્ણય સાથે સરકારે જે વટહુકમ બનાવ્યો હતો તેને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જે બાદ 17મી ઓક્ટોબરથી તેને અમલમાં મૂકવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
  • ગુજરાત સરકારે લીધો વધુ એક નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરી બિન અધિકૃત બાંધકામ  કાયદેસર થશે - Gujarat government decision impact fee paying unauthorized  construction legal | Indian Express Gujarati
  • રાજ્ય સરકાર દ્વારા વટહુકમ જારી કરીને તમામ શહેરી વિસ્તારો કે જ્યાં કેટલાક કારણોથી થયેલા ગેરકાયદે રહેણાક બાંધકામોને કાયદેસર કરવાનો મોકળો માર્ગ મળશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ફાયદો થશે. ઘરમાં સભ્યોની સંખ્યા વધવાથી કે કોઈ અન્ય કારણે લોકો ગેરકાયદેસર બાંધકામ કરવા માટે પ્રેરાતા હોય છે, આવામાં હવે આ બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર બનાવી શકાશે.

  • વર્ષ 2011માં તત્કાલિન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો. જેને ભૂપેન્દ્ર પટેલે દોહરાવ્યો છે. આ નિર્ણયથી એક તરફ શહેરોમાં રહેતા લોકોને ફાયદો થશે તો બીજી તરફ સરકારને ઈમ્પેક્ટ ફી દ્વારા કરોડોની આવક પણ થશે. આ નિર્ણયથી રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતની તમામ મહાનગરપાલિકાઓ, ઔડા, સુડા, રૂડા, ગુડા અને શહેરી વિકાસ સત્તા મંડળો અને તમામ 151 નગરપાલિકાઓમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ કાયદેસર કરવામાં આવશે.

  • આ બાંધકામોનો સમાવેશ નહીં થાય

  • જે કિસ્સામાં મળવાપાત્ર FSI 1.0 કરતા ઓછી હોય, રહેણાક સિવાય ઉપયોગ (દાત. વાણિજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે)માં લેવાતા હોય, જે CGDCR પ્રમાણે મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50% વધારે FSI થતી હોય, પ્લોટની હદની બહાર નીકળતા પ્રોજેક્ટ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઈલેક્ટ્રિક લાઈન ગેસ લાઈન અને જાહેર ઉપયોગની સેવા પર ઉભા કરેલા બાંધકામો કાયદેસર કરી શકાશે નહીં. આ સિવાય સરકારી સ્થાનિક સત્તામંડળોની જમીન પરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન, ફાળવણી કરાયેલી જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળસ્ત્રો જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ડ્સ ઔદ્યોગિક વિકાસ હેતુ માટે નિયત કરાયેલા વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન, ફાયર સેફ્ટીના કાયદા પ્રમાણે સુસંગત ના હોય, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની જરુરિયાત જળવાતી ના હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલા બિનઅધિકૃત બાંધકામ. ગુજરાત ક્લિનિકલ એસ્ટોબ્લિશમેન્ટ કાયદા પ્રમાણે સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ કાયદેસર કરી શકાશે નહીં.

  • આ બાંધકામો કાયદેસર થઈ શકશે
  • જે ગેરકાયદેસર બાંધકામો ઈમ્પેક્ટ ફી ભર્યા પછી કાયદેસર કરવામાં આવશે તેમાં માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફક્ત 50% માટે ફી લઈને નિયમબદ્ધ થઈ શકશે) સેનિટરી સુવિધા સુવિધા નિયમબદ્ધ કરી શકાશે.


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.