Gujaratના ખેડૂતો માટે તીડ મામલે મહત્વની જાણકારી, તીડ હમણા પાક નહીં બગાડે, જાણો કેવી રીતે મળશે તીડથી છૂટકારો


  • Published By :
  • Published Date : 2023-08-18 15:08:23

અગાઉ પણ ગુજરાતે બધુ જોયેલું જ છે. એટલે હવે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે તેના સિવાયનો પણ કોઈ પક્ષ જો ગુજરાતમાં સક્રિય હોય તો તેમના નેતાને તગારા લઈને તૈયાર થઈ જવું પડશે કારણ કે તીડ ગુજરાતમાં આવી શકે છે. જે કે મજાકને બાદ કરીએ તો આ એક ગંભીર બાબત છે કારણ કે ખેડૂતોના ખેતર તીડ સાફ કરી નાખે છે. તમામ પાક સફાચટ્ટ એટલા માટે થઈ જાય છે કારણ કે એક તીડ પોતાના જીવન દરમિયાન કદ કરતા 1 હજાર ગણું ખાઈ જાય છે.

તીડને રોકવા સરકાર કરી રહી છે પ્રયાસ

ગુજરાતમાં એક ચોક્કસ સમયે ઉત્તરના ભાગમાં તીડનો આતંક જોવા મળે છે. તીડને કાબૂમાં તો કરી શકાય એવી કોઈ સુવિધા નથી પણ સરકારે પગલાના ભાગ રૂપે લોક્ટસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે જે તીડને કાબૂમાં લે છે. અમે શરૂઆતથી તીડ તીડ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર છે. થરાદ, વાવ અને સૂઈગામમાં તીડ નિયંત્રણ સમિતિ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું છે કે હાલ તીડ ત્રાટકવાના નથી. ચાલો સારી વાત છે નથી આવવાના. પણ જો આવી જાય તો?


વિશ્વભરમાં તીડની છે 11 હજાર પ્રજાતિઓ 

તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો તીડ વિશે માહિતી લઈએ. તીડ પર જ્યારે વાત ચાલી રહી હોય ત્યારે એક વસ્તુ ધ્યાને લેવી પડે કે ખાલી ભારતમાં જ તીડ જોવા નથી મળતા વિશ્વભરમાં તીડની 11 હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે. અને એ પ્રજાતિમાંથી રણ તીડ નામની જાતિ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. જો કે ખાલી ભારતમાં જ નહીં પણ બાકી પણ 60 દેશમાં રણ તીડ જોવા મળે છે. તે રાતના આરામ કરે છે અને સવારે 9 વાગ્યાથી ઉડવાનું શરૂ કરી દે છે. ઉડવાનું શરૂ કરે છે તેની જગ્યાએ આતંક મચાવવાનું શરૂ કરી દે છે એવું કહીએ તો પણ યોગ્ય કહેવાશે. 2 કે 3 મહિના જીવતું તીડનું ઝુંડ એકવાર ઉડે છે તો નાનું ગામ હોય તેને ઢાંકી દે છે. અંદાજે 10 કરોડ તીડ એક ઝુંડમાં ઉડતા હોય છે. જોવા જેવી વાત તો એ છે કે આ તીડ 3 મહિનામાં પોતાના વજનથી 1 હજાર ગણું તો પાક ખાઈ જાય છે. અને એટલા માટે જ ખેડૂતો માટે તીડ ખતરો છે. 

તીડ ભગાડવા લીમડાના તેલનો ખેડૂતો કરી શકે છે ઉપયોગ 

તીડ આવી તો જાય છે પણ હવે તેને ભગાવવા કેમ, કારણ કે તીડ આવે એ પણ આપણા હાથમાં નથી અને ભગાડવા પણ આપણા હાથમાં નથી. તો તીડ ભગાડવા લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ તીવ્ર અવાજ સંભળાય તો પણ તીડ એ વિસ્તારમાં નથી આવતા. આ સિવાય યુએલવી ગ્રેડની મેલાથીઓન દવા જે 96 ટકાની સાંદ્રતામાં હોય છે તેને છાંટીએ તો પણ તીડ સફાચટ્ટ થઈ જાય છે. આ સિવાય તીડ ભગાડવા માટે અને તીડ આવે છે કે નહીં તેની માહિતી રાખવા માટે અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. હાલ તે સમિતિ સર્વે કરી રહી છે જેમાં માહિતી મળી છે કે તીડ હાલ તો નથી આવવાના. તો ખેડૂત મિત્રો માટે આ સારા સમાચાર છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.