Gujaratના ખેડૂતો માટે તીડ મામલે મહત્વની જાણકારી, તીડ હમણા પાક નહીં બગાડે, જાણો કેવી રીતે મળશે તીડથી છૂટકારો


  • Published By :
  • Published Date : 2023-08-18 15:08:23

અગાઉ પણ ગુજરાતે બધુ જોયેલું જ છે. એટલે હવે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે તેના સિવાયનો પણ કોઈ પક્ષ જો ગુજરાતમાં સક્રિય હોય તો તેમના નેતાને તગારા લઈને તૈયાર થઈ જવું પડશે કારણ કે તીડ ગુજરાતમાં આવી શકે છે. જે કે મજાકને બાદ કરીએ તો આ એક ગંભીર બાબત છે કારણ કે ખેડૂતોના ખેતર તીડ સાફ કરી નાખે છે. તમામ પાક સફાચટ્ટ એટલા માટે થઈ જાય છે કારણ કે એક તીડ પોતાના જીવન દરમિયાન કદ કરતા 1 હજાર ગણું ખાઈ જાય છે.

તીડને રોકવા સરકાર કરી રહી છે પ્રયાસ

ગુજરાતમાં એક ચોક્કસ સમયે ઉત્તરના ભાગમાં તીડનો આતંક જોવા મળે છે. તીડને કાબૂમાં તો કરી શકાય એવી કોઈ સુવિધા નથી પણ સરકારે પગલાના ભાગ રૂપે લોક્ટસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે જે તીડને કાબૂમાં લે છે. અમે શરૂઆતથી તીડ તીડ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર છે. થરાદ, વાવ અને સૂઈગામમાં તીડ નિયંત્રણ સમિતિ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું છે કે હાલ તીડ ત્રાટકવાના નથી. ચાલો સારી વાત છે નથી આવવાના. પણ જો આવી જાય તો?


વિશ્વભરમાં તીડની છે 11 હજાર પ્રજાતિઓ 

તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો તીડ વિશે માહિતી લઈએ. તીડ પર જ્યારે વાત ચાલી રહી હોય ત્યારે એક વસ્તુ ધ્યાને લેવી પડે કે ખાલી ભારતમાં જ તીડ જોવા નથી મળતા વિશ્વભરમાં તીડની 11 હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે. અને એ પ્રજાતિમાંથી રણ તીડ નામની જાતિ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. જો કે ખાલી ભારતમાં જ નહીં પણ બાકી પણ 60 દેશમાં રણ તીડ જોવા મળે છે. તે રાતના આરામ કરે છે અને સવારે 9 વાગ્યાથી ઉડવાનું શરૂ કરી દે છે. ઉડવાનું શરૂ કરે છે તેની જગ્યાએ આતંક મચાવવાનું શરૂ કરી દે છે એવું કહીએ તો પણ યોગ્ય કહેવાશે. 2 કે 3 મહિના જીવતું તીડનું ઝુંડ એકવાર ઉડે છે તો નાનું ગામ હોય તેને ઢાંકી દે છે. અંદાજે 10 કરોડ તીડ એક ઝુંડમાં ઉડતા હોય છે. જોવા જેવી વાત તો એ છે કે આ તીડ 3 મહિનામાં પોતાના વજનથી 1 હજાર ગણું તો પાક ખાઈ જાય છે. અને એટલા માટે જ ખેડૂતો માટે તીડ ખતરો છે. 

તીડ ભગાડવા લીમડાના તેલનો ખેડૂતો કરી શકે છે ઉપયોગ 

તીડ આવી તો જાય છે પણ હવે તેને ભગાવવા કેમ, કારણ કે તીડ આવે એ પણ આપણા હાથમાં નથી અને ભગાડવા પણ આપણા હાથમાં નથી. તો તીડ ભગાડવા લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ તીવ્ર અવાજ સંભળાય તો પણ તીડ એ વિસ્તારમાં નથી આવતા. આ સિવાય યુએલવી ગ્રેડની મેલાથીઓન દવા જે 96 ટકાની સાંદ્રતામાં હોય છે તેને છાંટીએ તો પણ તીડ સફાચટ્ટ થઈ જાય છે. આ સિવાય તીડ ભગાડવા માટે અને તીડ આવે છે કે નહીં તેની માહિતી રાખવા માટે અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. હાલ તે સમિતિ સર્વે કરી રહી છે જેમાં માહિતી મળી છે કે તીડ હાલ તો નથી આવવાના. તો ખેડૂત મિત્રો માટે આ સારા સમાચાર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.