Gujaratના ખેડૂતો માટે તીડ મામલે મહત્વની જાણકારી, તીડ હમણા પાક નહીં બગાડે, જાણો કેવી રીતે મળશે તીડથી છૂટકારો


  • Published By :
  • Published Date : 2023-08-18 15:08:23

અગાઉ પણ ગુજરાતે બધુ જોયેલું જ છે. એટલે હવે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે તેના સિવાયનો પણ કોઈ પક્ષ જો ગુજરાતમાં સક્રિય હોય તો તેમના નેતાને તગારા લઈને તૈયાર થઈ જવું પડશે કારણ કે તીડ ગુજરાતમાં આવી શકે છે. જે કે મજાકને બાદ કરીએ તો આ એક ગંભીર બાબત છે કારણ કે ખેડૂતોના ખેતર તીડ સાફ કરી નાખે છે. તમામ પાક સફાચટ્ટ એટલા માટે થઈ જાય છે કારણ કે એક તીડ પોતાના જીવન દરમિયાન કદ કરતા 1 હજાર ગણું ખાઈ જાય છે.

તીડને રોકવા સરકાર કરી રહી છે પ્રયાસ

ગુજરાતમાં એક ચોક્કસ સમયે ઉત્તરના ભાગમાં તીડનો આતંક જોવા મળે છે. તીડને કાબૂમાં તો કરી શકાય એવી કોઈ સુવિધા નથી પણ સરકારે પગલાના ભાગ રૂપે લોક્ટસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે જે તીડને કાબૂમાં લે છે. અમે શરૂઆતથી તીડ તીડ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર છે. થરાદ, વાવ અને સૂઈગામમાં તીડ નિયંત્રણ સમિતિ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું છે કે હાલ તીડ ત્રાટકવાના નથી. ચાલો સારી વાત છે નથી આવવાના. પણ જો આવી જાય તો?


વિશ્વભરમાં તીડની છે 11 હજાર પ્રજાતિઓ 

તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો તીડ વિશે માહિતી લઈએ. તીડ પર જ્યારે વાત ચાલી રહી હોય ત્યારે એક વસ્તુ ધ્યાને લેવી પડે કે ખાલી ભારતમાં જ તીડ જોવા નથી મળતા વિશ્વભરમાં તીડની 11 હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે. અને એ પ્રજાતિમાંથી રણ તીડ નામની જાતિ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. જો કે ખાલી ભારતમાં જ નહીં પણ બાકી પણ 60 દેશમાં રણ તીડ જોવા મળે છે. તે રાતના આરામ કરે છે અને સવારે 9 વાગ્યાથી ઉડવાનું શરૂ કરી દે છે. ઉડવાનું શરૂ કરે છે તેની જગ્યાએ આતંક મચાવવાનું શરૂ કરી દે છે એવું કહીએ તો પણ યોગ્ય કહેવાશે. 2 કે 3 મહિના જીવતું તીડનું ઝુંડ એકવાર ઉડે છે તો નાનું ગામ હોય તેને ઢાંકી દે છે. અંદાજે 10 કરોડ તીડ એક ઝુંડમાં ઉડતા હોય છે. જોવા જેવી વાત તો એ છે કે આ તીડ 3 મહિનામાં પોતાના વજનથી 1 હજાર ગણું તો પાક ખાઈ જાય છે. અને એટલા માટે જ ખેડૂતો માટે તીડ ખતરો છે. 

તીડ ભગાડવા લીમડાના તેલનો ખેડૂતો કરી શકે છે ઉપયોગ 

તીડ આવી તો જાય છે પણ હવે તેને ભગાવવા કેમ, કારણ કે તીડ આવે એ પણ આપણા હાથમાં નથી અને ભગાડવા પણ આપણા હાથમાં નથી. તો તીડ ભગાડવા લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ તીવ્ર અવાજ સંભળાય તો પણ તીડ એ વિસ્તારમાં નથી આવતા. આ સિવાય યુએલવી ગ્રેડની મેલાથીઓન દવા જે 96 ટકાની સાંદ્રતામાં હોય છે તેને છાંટીએ તો પણ તીડ સફાચટ્ટ થઈ જાય છે. આ સિવાય તીડ ભગાડવા માટે અને તીડ આવે છે કે નહીં તેની માહિતી રાખવા માટે અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. હાલ તે સમિતિ સર્વે કરી રહી છે જેમાં માહિતી મળી છે કે તીડ હાલ તો નથી આવવાના. તો ખેડૂત મિત્રો માટે આ સારા સમાચાર છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.