12 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળીયા હાટીના કોર્ટે આપી 6 મહિનાની સજા


  • Published By :
  • Published Date : 2023-02-07 15:38:12

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે વર્ષ 2010ના કેસનો ચુકાદો આપતા તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો. ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. રોહન વૈદ્યે ચોરવાડમાં આ અંગે ફરિયાદ કરી હતી. જૂનાગઢનાં માળીહાટીના કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે વિમલ ચૂડાસમાની સાથે સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. 



6 મહિનાની ફટકારાઈ સજા 

2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. હોલીડે કેમ્પ ખાતે કોઈ વાતને લઈ મીત વૈદ્ય અને હરીશ ચૂડાસમા પર હુમલો કરાયો હતો. મારામારી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ જૂનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વિમલ ચૂડાસમા તેમજ તેમની સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા સંભળાવી છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.