12 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળીયા હાટીના કોર્ટે આપી 6 મહિનાની સજા


  • Published By :
  • Published Date : 2023-02-07 15:38:12

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે વર્ષ 2010ના કેસનો ચુકાદો આપતા તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો. ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. રોહન વૈદ્યે ચોરવાડમાં આ અંગે ફરિયાદ કરી હતી. જૂનાગઢનાં માળીહાટીના કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે વિમલ ચૂડાસમાની સાથે સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. 



6 મહિનાની ફટકારાઈ સજા 

2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. હોલીડે કેમ્પ ખાતે કોઈ વાતને લઈ મીત વૈદ્ય અને હરીશ ચૂડાસમા પર હુમલો કરાયો હતો. મારામારી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ જૂનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વિમલ ચૂડાસમા તેમજ તેમની સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા સંભળાવી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે