12 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળીયા હાટીના કોર્ટે આપી 6 મહિનાની સજા


  • Published By :
  • Published Date : 2023-02-07 15:38:12

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે વર્ષ 2010ના કેસનો ચુકાદો આપતા તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો. ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. રોહન વૈદ્યે ચોરવાડમાં આ અંગે ફરિયાદ કરી હતી. જૂનાગઢનાં માળીહાટીના કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે વિમલ ચૂડાસમાની સાથે સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. 



6 મહિનાની ફટકારાઈ સજા 

2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. હોલીડે કેમ્પ ખાતે કોઈ વાતને લઈ મીત વૈદ્ય અને હરીશ ચૂડાસમા પર હુમલો કરાયો હતો. મારામારી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ જૂનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વિમલ ચૂડાસમા તેમજ તેમની સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા સંભળાવી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.