એક જ દિવસમાં Gujaratના આટલા યુવાનો બન્યા હાર્ટ એટેકનો શિકાર, Suratમાં એક વ્યક્તિ તો ફોન પર વાતો કરતા કરતા મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-10-31 16:21:52

હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ સંકટમાં છે, જો આપણે આવું કહીશું તો અતિશયોક્તિ ન ગણાય. છેલ્લા ઘણા સમયથી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રોજે એવા સમાચાર લખવા પડે છે કે આજે આટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગુજરાતમાં ફરી એક વખત બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતથી જ આજે બે કિસ્સાઓ સામે આવ્યા છે. તો વડોદરાથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ફરજ દરમિયાન 35 વર્ષીય યુવાનને આવ્યો એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવા અનેક સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી.. કોઈ યોગા કરતા કરતા તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક પરિવાર માટે નવરાત્રીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. ત્યારે વધુ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતમાં બે યુવાનોના મોત થયા છે. પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાન ફોન પર વાતો કરી રહ્યો હતો અને તે અચાનક ઢળી પડ્યો. જે યુવાનનું મોત થયું છે તે યુવાન સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ પવન ઠાકુર છે તેવી માહિતી સામે આવી છે અને તે બિહારના વતની છે.    

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

52 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

તે ઉપરાંત સુરતમાં 52 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું તેવી માહિતી સામે આવી છે. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. તે ઉપરાંત વડોદરામાં પણ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. આજવા રોડ પર રહેતા યુવકનું મોત થયું છે.

Chief Minister Bhupendra Patel approves 130 crore works of water supply  scheme under Golden Jubilee Urban Development Scheme in Anand Nagar | આણંદ  નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ...

ડોક્ટરની કમિટીની કરશે આ અંગે તપાસ 

કોરોના બાદ તો યુવાનોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકારની ચિંતા વધી છે. રાજ્ય સરકારે આના કારણો જાણવા માટે ડોક્ટર કમિટીની રચના કરી છે. કમિટી આનું કારણ જાણવા માટે તપાસ કરશે. કોરોના વેક્સિનને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી વાતો લોકો કરતા હોય છે. કોરોનાને કારણે લોકોના મોત થયા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. યુવાનો તો ઠીક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ફિક્કીની આરોગ્ય પરિષદનું  ઉદ્ઘાટન - Gujarati News | । Health Minister Mansukh Mandaviya to inaugurate  FICCIs health conference - । Health ...


મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા કેસને લઈ આપ્યું નિવેદન 

આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.