એક જ દિવસમાં Gujaratના આટલા યુવાનો બન્યા હાર્ટ એટેકનો શિકાર, Suratમાં એક વ્યક્તિ તો ફોન પર વાતો કરતા કરતા મોતને ભેટ્યો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-31 16:21:52

હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ સંકટમાં છે, જો આપણે આવું કહીશું તો અતિશયોક્તિ ન ગણાય. છેલ્લા ઘણા સમયથી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રોજે એવા સમાચાર લખવા પડે છે કે આજે આટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગુજરાતમાં ફરી એક વખત બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતથી જ આજે બે કિસ્સાઓ સામે આવ્યા છે. તો વડોદરાથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ફરજ દરમિયાન 35 વર્ષીય યુવાનને આવ્યો એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવા અનેક સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી.. કોઈ યોગા કરતા કરતા તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક પરિવાર માટે નવરાત્રીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. ત્યારે વધુ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતમાં બે યુવાનોના મોત થયા છે. પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાન ફોન પર વાતો કરી રહ્યો હતો અને તે અચાનક ઢળી પડ્યો. જે યુવાનનું મોત થયું છે તે યુવાન સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ પવન ઠાકુર છે તેવી માહિતી સામે આવી છે અને તે બિહારના વતની છે.    

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

52 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

તે ઉપરાંત સુરતમાં 52 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું તેવી માહિતી સામે આવી છે. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. તે ઉપરાંત વડોદરામાં પણ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. આજવા રોડ પર રહેતા યુવકનું મોત થયું છે.

Chief Minister Bhupendra Patel approves 130 crore works of water supply  scheme under Golden Jubilee Urban Development Scheme in Anand Nagar | આણંદ  નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ...

ડોક્ટરની કમિટીની કરશે આ અંગે તપાસ 

કોરોના બાદ તો યુવાનોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકારની ચિંતા વધી છે. રાજ્ય સરકારે આના કારણો જાણવા માટે ડોક્ટર કમિટીની રચના કરી છે. કમિટી આનું કારણ જાણવા માટે તપાસ કરશે. કોરોના વેક્સિનને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી વાતો લોકો કરતા હોય છે. કોરોનાને કારણે લોકોના મોત થયા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. યુવાનો તો ઠીક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ફિક્કીની આરોગ્ય પરિષદનું  ઉદ્ઘાટન - Gujarati News | । Health Minister Mansukh Mandaviya to inaugurate  FICCIs health conference - । Health ...


મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા કેસને લઈ આપ્યું નિવેદન 

આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય.   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'