એક જ દિવસમાં Gujaratના આટલા યુવાનો બન્યા હાર્ટ એટેકનો શિકાર, Suratમાં એક વ્યક્તિ તો ફોન પર વાતો કરતા કરતા મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-10-31 16:21:52

હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ સંકટમાં છે, જો આપણે આવું કહીશું તો અતિશયોક્તિ ન ગણાય. છેલ્લા ઘણા સમયથી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રોજે એવા સમાચાર લખવા પડે છે કે આજે આટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગુજરાતમાં ફરી એક વખત બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતથી જ આજે બે કિસ્સાઓ સામે આવ્યા છે. તો વડોદરાથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ફરજ દરમિયાન 35 વર્ષીય યુવાનને આવ્યો એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવા અનેક સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી.. કોઈ યોગા કરતા કરતા તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક પરિવાર માટે નવરાત્રીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. ત્યારે વધુ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતમાં બે યુવાનોના મોત થયા છે. પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાન ફોન પર વાતો કરી રહ્યો હતો અને તે અચાનક ઢળી પડ્યો. જે યુવાનનું મોત થયું છે તે યુવાન સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ પવન ઠાકુર છે તેવી માહિતી સામે આવી છે અને તે બિહારના વતની છે.    

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

52 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

તે ઉપરાંત સુરતમાં 52 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું તેવી માહિતી સામે આવી છે. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. તે ઉપરાંત વડોદરામાં પણ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. આજવા રોડ પર રહેતા યુવકનું મોત થયું છે.

Chief Minister Bhupendra Patel approves 130 crore works of water supply  scheme under Golden Jubilee Urban Development Scheme in Anand Nagar | આણંદ  નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ...

ડોક્ટરની કમિટીની કરશે આ અંગે તપાસ 

કોરોના બાદ તો યુવાનોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકારની ચિંતા વધી છે. રાજ્ય સરકારે આના કારણો જાણવા માટે ડોક્ટર કમિટીની રચના કરી છે. કમિટી આનું કારણ જાણવા માટે તપાસ કરશે. કોરોના વેક્સિનને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી વાતો લોકો કરતા હોય છે. કોરોનાને કારણે લોકોના મોત થયા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. યુવાનો તો ઠીક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ફિક્કીની આરોગ્ય પરિષદનું  ઉદ્ઘાટન - Gujarati News | । Health Minister Mansukh Mandaviya to inaugurate  FICCIs health conference - । Health ...


મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા કેસને લઈ આપ્યું નિવેદન 

આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી