હાટકેશ્વર બ્રિજને લઈ એએમસી એક્શન મોડમાં, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કમિટીની કરાઈ રચના, આ તારીખ સુધીમાં કમિટી આપશે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-03-29 16:49:13

છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં છે. હાટકેશ્વર બ્રિજના નિર્માણ દરમિયાન ઓછી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યો છે જેને કારણે પૂલ પર ગાબડા પડી ગયા તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે. વપરાયેલી માલની ગુણવત્તાને કારણે બ્રિજની હાલત એ હદે ખરાબ થઈ ગઈ છે કે બ્રિજનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે આ મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડમાં ઉઠ્યો હતો. જેને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેંધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બ્રિજની ગુણવત્તાને લઈ ઊઠ્યા હતા અનેક સવાલ  

થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલો હાટકેશ્વર બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ઘણા સમયથી બ્રિજ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય બાદ જ બ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બ્રિજના બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. આ બ્રિજને લઈ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે બ્રિજના અમુક ભાગોમાં કોંક્રિટ સ્ટેન્થ ખુબ ઓછી છે. જેટલી મજબૂતીથી બ્રિજ બનવો જોઈએ તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજના નિર્માણ પાછળ વાપરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ બ્રિજના નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેવી વાતો થવાની શરૂઆત થઈ. રૂડકીનો રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો હતો.  


ત્રણ સભ્યોની બનાવાઈ કમિટી જે આ અંગે કરશે તપાસ  

હાટકેશ્વર બ્રિજનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઉઠ્યો હતો. આ મામલે હોબાળો થયો હતો. એએમસી બોર્ડની બેઠકમાં આ મુદ્દાને લઈ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બ્રિજની ક્વોલિટી સાથે જોડાયેલા ટેસ્ટના રિપોર્ટમાં શું આવ્યું તે અંગે જવાબ વિપક્ષ દ્વારા માગવામાં આવ્યો હતો. ભારે હોબાળા બાદ મ્યુનિસિપિલ કમિશ્નરે બ્રિજને લઈ કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેનથન એક્સપર્ટ અને એક રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને આનો રિપોર્ટ 15 એપ્રિલ સુધીમાં આપવામાં આવશે. તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.