અંકલેશ્વરના પાનોલી ખાતે GIDCમાં લાગી ભીષણ આગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-14 18:07:19

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. 

ગુજરાતમાં થોડાક સમયથી જાણે ઔધ્યોગિક અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા , પંચમહાલના ઘોઘંબાની GFL ફેકટરીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી. તો હવે , આજે વહેલી સવારે , અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં ભયંકર આગ લાગી છે . આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી દેખાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર , આસપાસના ૫ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો. ભીષણ આગના કારણે , ૧૨ જેટલા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આમ હવે , ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સઘન કામગીરી હાથ ધરી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ. આગ એટલી ભયંકર હતી કે. તેની અસર ખરોડ , ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી. હવે સંઘવી ઓર્ગેનિક્સની આજુબાજુમાં આવેલી કંપનીઓને પણ ફાયર ફાઇટર્સ દ્વારા ખાલી કરાવવામાં આવી છે. 

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી. ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી બની હતી. ગુજરાતમાં  ઔધ્યોગીક અકસ્માતો પાછલા થોડાક સમયથી સતત થઇ રહ્યા છે. આ પેહલા , પંચમહાલની GFL ફેકટરીમાં ગેસલીકેજની ઘટના અને તે પહેલા સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક બોઇલર ફાટતા ૪ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.