અંકલેશ્વરના પાનોલી ખાતે GIDCમાં લાગી ભીષણ આગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-14 18:07:19

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. 

ગુજરાતમાં થોડાક સમયથી જાણે ઔધ્યોગિક અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા , પંચમહાલના ઘોઘંબાની GFL ફેકટરીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી. તો હવે , આજે વહેલી સવારે , અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં ભયંકર આગ લાગી છે . આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી દેખાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર , આસપાસના ૫ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો. ભીષણ આગના કારણે , ૧૨ જેટલા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આમ હવે , ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સઘન કામગીરી હાથ ધરી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ. આગ એટલી ભયંકર હતી કે. તેની અસર ખરોડ , ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી. હવે સંઘવી ઓર્ગેનિક્સની આજુબાજુમાં આવેલી કંપનીઓને પણ ફાયર ફાઇટર્સ દ્વારા ખાલી કરાવવામાં આવી છે. 

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી. ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી બની હતી. ગુજરાતમાં  ઔધ્યોગીક અકસ્માતો પાછલા થોડાક સમયથી સતત થઇ રહ્યા છે. આ પેહલા , પંચમહાલની GFL ફેકટરીમાં ગેસલીકેજની ઘટના અને તે પહેલા સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક બોઇલર ફાટતા ૪ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.