અંકલેશ્વરના પાનોલી ખાતે GIDCમાં લાગી ભીષણ આગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-14 18:07:19

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. 

ગુજરાતમાં થોડાક સમયથી જાણે ઔધ્યોગિક અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા , પંચમહાલના ઘોઘંબાની GFL ફેકટરીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી. તો હવે , આજે વહેલી સવારે , અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં ભયંકર આગ લાગી છે . આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી દેખાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર , આસપાસના ૫ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો. ભીષણ આગના કારણે , ૧૨ જેટલા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આમ હવે , ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સઘન કામગીરી હાથ ધરી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ. આગ એટલી ભયંકર હતી કે. તેની અસર ખરોડ , ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી. હવે સંઘવી ઓર્ગેનિક્સની આજુબાજુમાં આવેલી કંપનીઓને પણ ફાયર ફાઇટર્સ દ્વારા ખાલી કરાવવામાં આવી છે. 

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી. ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી બની હતી. ગુજરાતમાં  ઔધ્યોગીક અકસ્માતો પાછલા થોડાક સમયથી સતત થઇ રહ્યા છે. આ પેહલા , પંચમહાલની GFL ફેકટરીમાં ગેસલીકેજની ઘટના અને તે પહેલા સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક બોઇલર ફાટતા ૪ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.