મોંઘવારીનો વધુ એક માર, સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-02-16 12:36:10

સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો કરાયો હતો ત્યારે આજે પણ તેલના ભાવમાં 50નો ભાવ વધારો ઝિંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 150 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એકાએક તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.   


ત્રણ દિવસમાં તેલના ભાવમાં થયો 150 રુપિયાનો વધારો 

છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 50 રુપિયાનો વધારો થયો હતો, બુધવારે પણ સિંગતેલના ભાવમાં 50નો વધારો થયો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણે તેલના ભાવમાં ભડકો થયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ વધ્યા છે જેને કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થશે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ પણ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.