મોંઘવારીનો વધુ એક માર, સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-02-16 12:36:10

સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો કરાયો હતો ત્યારે આજે પણ તેલના ભાવમાં 50નો ભાવ વધારો ઝિંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 150 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એકાએક તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.   


ત્રણ દિવસમાં તેલના ભાવમાં થયો 150 રુપિયાનો વધારો 

છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 50 રુપિયાનો વધારો થયો હતો, બુધવારે પણ સિંગતેલના ભાવમાં 50નો વધારો થયો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણે તેલના ભાવમાં ભડકો થયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ વધ્યા છે જેને કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થશે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ પણ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે