મોંઘવારીનો વધુ એક માર, સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-02-16 12:36:10

સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો કરાયો હતો ત્યારે આજે પણ તેલના ભાવમાં 50નો ભાવ વધારો ઝિંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 150 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એકાએક તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.   


ત્રણ દિવસમાં તેલના ભાવમાં થયો 150 રુપિયાનો વધારો 

છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 50 રુપિયાનો વધારો થયો હતો, બુધવારે પણ સિંગતેલના ભાવમાં 50નો વધારો થયો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણે તેલના ભાવમાં ભડકો થયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ વધ્યા છે જેને કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થશે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ પણ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.