મોંઘવારીનો વધુ એક માર, સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-02-16 12:36:10

સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો કરાયો હતો ત્યારે આજે પણ તેલના ભાવમાં 50નો ભાવ વધારો ઝિંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 150 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એકાએક તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.   


ત્રણ દિવસમાં તેલના ભાવમાં થયો 150 રુપિયાનો વધારો 

છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 50 રુપિયાનો વધારો થયો હતો, બુધવારે પણ સિંગતેલના ભાવમાં 50નો વધારો થયો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણે તેલના ભાવમાં ભડકો થયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ વધ્યા છે જેને કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થશે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ પણ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.