ભાવનગરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:58:40

રાજ્યમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે ભાવનગરના અત્યંત વ્યસ્ત મનાતા સેલારશા ચોક પાસે એક યુવાનની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર શહેરની સંઘેડિયા બજારમાં સેલારશા ચોક પાસે ઇલિયાસ બેલીમ નામના યુવક પર સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓએ જાહેરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. 


હોસ્પિટલમાં દમ તોડ્યો


ઇલિયાસ બેલીમ પર જીવલેણ હુમલા થયા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને  તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ઈલિયાસનું સારવાર દરમ્યાન મોત થયું હતું, આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 


શા માટે કરાઈ હત્યા?


ભાવનગરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખવામા આવી હતી. ઇલિયાસભાઈ કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ પણ હતા. ઇલિયાસભાઈની હત્યા અંગે ડી.વાય.એસ.પી આર. વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ અરૂણભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી, ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .