બિહારના છપરામાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા, ઘટનાને લઈ CMએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-15 13:41:04

બિહારમાં દારૂબંધી છે. પરંતુ ગઈ કાલે બિહારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જહેરેલી દારૂ પીને અનેક લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જે દારૂ પીશે તે મરશે.

    

33 લોકોના થયા મોત

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ અનેક વખત દારૂબંધીના રાજ્યોમાં લઠ્ઠાકાંડ જેવા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે બિહારમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટનામાં 33 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુનો આંક વધતો જાય તેવું લાગી રહ્યું છે.

 


જે દારૂ પીશે તે મરશે - નીતિશ કુમારનું નિવેદન  

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અજીબો-ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દારૂ પીશે તે મરશે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થવા બહું સામાન્ય વાત છે. આ ઘટના પ્રથમ વખત નથી બની. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવા મુદ્દાઓ પર વિપક્ષ હમેશાં રાજનીતિ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધી ન હતી તો પણ બીજા રાજ્યોમાં લોકો મરતા હતા. લોકોને સ્વયં જાગૃત થવું પડશે. દારૂ ખરાબ છે અને તે ન પીવી જોઈએ. 


સંસદમાં થયો હતો હોબાળો 

આ લઠ્ઠાકાંડ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલાની ઘટના છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ લઠ્ઠાકાંડને કારણે 33 જેટલા લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડને કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.