બિહારના છપરામાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા, ઘટનાને લઈ CMએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-15 13:41:04

બિહારમાં દારૂબંધી છે. પરંતુ ગઈ કાલે બિહારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જહેરેલી દારૂ પીને અનેક લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જે દારૂ પીશે તે મરશે.

    

33 લોકોના થયા મોત

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ અનેક વખત દારૂબંધીના રાજ્યોમાં લઠ્ઠાકાંડ જેવા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે બિહારમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટનામાં 33 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુનો આંક વધતો જાય તેવું લાગી રહ્યું છે.

 


જે દારૂ પીશે તે મરશે - નીતિશ કુમારનું નિવેદન  

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અજીબો-ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દારૂ પીશે તે મરશે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થવા બહું સામાન્ય વાત છે. આ ઘટના પ્રથમ વખત નથી બની. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવા મુદ્દાઓ પર વિપક્ષ હમેશાં રાજનીતિ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધી ન હતી તો પણ બીજા રાજ્યોમાં લોકો મરતા હતા. લોકોને સ્વયં જાગૃત થવું પડશે. દારૂ ખરાબ છે અને તે ન પીવી જોઈએ. 


સંસદમાં થયો હતો હોબાળો 

આ લઠ્ઠાકાંડ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલાની ઘટના છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ લઠ્ઠાકાંડને કારણે 33 જેટલા લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડને કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.