બિહારના છપરામાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા, ઘટનાને લઈ CMએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-15 13:41:04

બિહારમાં દારૂબંધી છે. પરંતુ ગઈ કાલે બિહારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જહેરેલી દારૂ પીને અનેક લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જે દારૂ પીશે તે મરશે.

    

33 લોકોના થયા મોત

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ અનેક વખત દારૂબંધીના રાજ્યોમાં લઠ્ઠાકાંડ જેવા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે બિહારમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટનામાં 33 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુનો આંક વધતો જાય તેવું લાગી રહ્યું છે.

 


જે દારૂ પીશે તે મરશે - નીતિશ કુમારનું નિવેદન  

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અજીબો-ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દારૂ પીશે તે મરશે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થવા બહું સામાન્ય વાત છે. આ ઘટના પ્રથમ વખત નથી બની. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવા મુદ્દાઓ પર વિપક્ષ હમેશાં રાજનીતિ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધી ન હતી તો પણ બીજા રાજ્યોમાં લોકો મરતા હતા. લોકોને સ્વયં જાગૃત થવું પડશે. દારૂ ખરાબ છે અને તે ન પીવી જોઈએ. 


સંસદમાં થયો હતો હોબાળો 

આ લઠ્ઠાકાંડ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલાની ઘટના છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ લઠ્ઠાકાંડને કારણે 33 જેટલા લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડને કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.        




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.