બિહારના છપરામાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા, ઘટનાને લઈ CMએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-15 13:41:04

બિહારમાં દારૂબંધી છે. પરંતુ ગઈ કાલે બિહારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જહેરેલી દારૂ પીને અનેક લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જે દારૂ પીશે તે મરશે.

    

33 લોકોના થયા મોત

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ અનેક વખત દારૂબંધીના રાજ્યોમાં લઠ્ઠાકાંડ જેવા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે બિહારમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટનામાં 33 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુનો આંક વધતો જાય તેવું લાગી રહ્યું છે.

 


જે દારૂ પીશે તે મરશે - નીતિશ કુમારનું નિવેદન  

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અજીબો-ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દારૂ પીશે તે મરશે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થવા બહું સામાન્ય વાત છે. આ ઘટના પ્રથમ વખત નથી બની. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવા મુદ્દાઓ પર વિપક્ષ હમેશાં રાજનીતિ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધી ન હતી તો પણ બીજા રાજ્યોમાં લોકો મરતા હતા. લોકોને સ્વયં જાગૃત થવું પડશે. દારૂ ખરાબ છે અને તે ન પીવી જોઈએ. 


સંસદમાં થયો હતો હોબાળો 

આ લઠ્ઠાકાંડ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલાની ઘટના છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ લઠ્ઠાકાંડને કારણે 33 જેટલા લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડને કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે