બિહારના વૈશાલીમાં બેકાબુ બનેલી ટ્રકને કારણે સર્જાઈ દુર્ઘટના, મુખ્યમંત્રીએ વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-21 08:53:22

દિનપ્રતિદિન દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત સર્જાતા અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે ઓવરસ્પીડ હોય છે. ત્યારે બિહારના વૈશાલી જિલ્લાના મહનારમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત આઠ લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી વસતિમાં ઘૂસી ગઈ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.


બેકાબુ બનેલી ટ્રકને લીધો અનેક લોકોનો જીવ 

અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રવિવાર રાત્રે એવી દુર્ઘટના બની જેણે દરેકને હચમચાવી નાખ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનારની છે જ્યાં બેકાબુ બનેલી ટ્રકે અંદાજીત આઠ લોકોના જીવ લઈ લીધા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ટ્રક બેકાબુ બનતા પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે આઠ લોકો મૃત્યુને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુ આંક વધી પણ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ટ્રક ડાઈવર નશામાં હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Image

વળતર ચૂકવવાની કરી જાહેરાત

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ બિહારના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નિતીશ કુમારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.