બિહારના વૈશાલીમાં બેકાબુ બનેલી ટ્રકને કારણે સર્જાઈ દુર્ઘટના, મુખ્યમંત્રીએ વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-21 08:53:22

દિનપ્રતિદિન દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત સર્જાતા અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે ઓવરસ્પીડ હોય છે. ત્યારે બિહારના વૈશાલી જિલ્લાના મહનારમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત આઠ લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી વસતિમાં ઘૂસી ગઈ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.


બેકાબુ બનેલી ટ્રકને લીધો અનેક લોકોનો જીવ 

અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રવિવાર રાત્રે એવી દુર્ઘટના બની જેણે દરેકને હચમચાવી નાખ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનારની છે જ્યાં બેકાબુ બનેલી ટ્રકે અંદાજીત આઠ લોકોના જીવ લઈ લીધા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ટ્રક બેકાબુ બનતા પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે આઠ લોકો મૃત્યુને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુ આંક વધી પણ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ટ્રક ડાઈવર નશામાં હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Image

વળતર ચૂકવવાની કરી જાહેરાત

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ બિહારના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નિતીશ કુમારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.