બિહારના વૈશાલીમાં બેકાબુ બનેલી ટ્રકને કારણે સર્જાઈ દુર્ઘટના, મુખ્યમંત્રીએ વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-21 08:53:22

દિનપ્રતિદિન દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત સર્જાતા અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે ઓવરસ્પીડ હોય છે. ત્યારે બિહારના વૈશાલી જિલ્લાના મહનારમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત આઠ લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી વસતિમાં ઘૂસી ગઈ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.


બેકાબુ બનેલી ટ્રકને લીધો અનેક લોકોનો જીવ 

અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રવિવાર રાત્રે એવી દુર્ઘટના બની જેણે દરેકને હચમચાવી નાખ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનારની છે જ્યાં બેકાબુ બનેલી ટ્રકે અંદાજીત આઠ લોકોના જીવ લઈ લીધા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ટ્રક બેકાબુ બનતા પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે આઠ લોકો મૃત્યુને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુ આંક વધી પણ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ટ્રક ડાઈવર નશામાં હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Image

વળતર ચૂકવવાની કરી જાહેરાત

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ બિહારના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નિતીશ કુમારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.