દિલ્હી મેટ્રોમાં કરી પીએમ મોદીએ સવારી, મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ ત્યાં ઉપસ્થિત લોકો સાથે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-30 13:40:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત એવા કામો કરતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અચાનક એવી જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે પીએમ મોદી અચાનક દિલ્હી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા અને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં બેસી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.

   


દિલ્હી યુનિવર્સિટી પહોંચવા મેટ્રોમાં બેઠા પીએમ મોદી 

પહેલી મે 1922ના રોજ દિલ્હી વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. વિશ્વવિદ્યાલયમાં અનેક કોલેજો તેમજ વિભાગો આવેલા છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યુનિવર્સિટીના સમારોહમાં પહોંચવા માટે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો સહારો લીધો હતો. મેટ્રો ટ્રેનમાં મુસાફરી પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.   


અનેક વખત પીએમ મોદી કરી ચૂક્યા છે મેટ્રોમાં સફર 

મહત્વનું છે કે આની પહેલા અમદાવાદની મેટ્રો ટ્રેનમાં તેમણે મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનનો જ્યારે પીએમ મોદીએ આરંભ કરાવ્યો તે જ દિવસે તેઓ મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને ત્યારે પણ સાથે મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તે સિવાય તેમણે પુણે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરી છે. વિદ્યાર્થીઓ સાથે તેમણે વાત કરી હતી. દર વખતે પીએમ મોદી ટિકિટ લઈને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક તસવીરો તે શેર કરતા રહે છે.   

ટિકિટ લઈ PM મોદીએ  પુણે મેટ્રોની કરી સફર, રસ્તામાં સ્કૂલના બાળકો સાથે કરી વાત, જુઓ તસવીરો

Ahmedabad Metro : PM મોદીએ મેટ્રો ટ્રેનમાં કરી સફર, તસવીરોમા જુઓ અંદરનો નજારો


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.