દિલ્હી મેટ્રોમાં કરી પીએમ મોદીએ સવારી, મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ ત્યાં ઉપસ્થિત લોકો સાથે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-30 13:40:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત એવા કામો કરતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અચાનક એવી જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે પીએમ મોદી અચાનક દિલ્હી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા અને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં બેસી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.

   


દિલ્હી યુનિવર્સિટી પહોંચવા મેટ્રોમાં બેઠા પીએમ મોદી 

પહેલી મે 1922ના રોજ દિલ્હી વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. વિશ્વવિદ્યાલયમાં અનેક કોલેજો તેમજ વિભાગો આવેલા છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યુનિવર્સિટીના સમારોહમાં પહોંચવા માટે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો સહારો લીધો હતો. મેટ્રો ટ્રેનમાં મુસાફરી પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.   


અનેક વખત પીએમ મોદી કરી ચૂક્યા છે મેટ્રોમાં સફર 

મહત્વનું છે કે આની પહેલા અમદાવાદની મેટ્રો ટ્રેનમાં તેમણે મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનનો જ્યારે પીએમ મોદીએ આરંભ કરાવ્યો તે જ દિવસે તેઓ મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને ત્યારે પણ સાથે મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તે સિવાય તેમણે પુણે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરી છે. વિદ્યાર્થીઓ સાથે તેમણે વાત કરી હતી. દર વખતે પીએમ મોદી ટિકિટ લઈને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક તસવીરો તે શેર કરતા રહે છે.   

ટિકિટ લઈ PM મોદીએ  પુણે મેટ્રોની કરી સફર, રસ્તામાં સ્કૂલના બાળકો સાથે કરી વાત, જુઓ તસવીરો

Ahmedabad Metro : PM મોદીએ મેટ્રો ટ્રેનમાં કરી સફર, તસવીરોમા જુઓ અંદરનો નજારો


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.