દિલ્હી મેટ્રોમાં કરી પીએમ મોદીએ સવારી, મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ ત્યાં ઉપસ્થિત લોકો સાથે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-30 13:40:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત એવા કામો કરતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અચાનક એવી જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે પીએમ મોદી અચાનક દિલ્હી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા અને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં બેસી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.

   


દિલ્હી યુનિવર્સિટી પહોંચવા મેટ્રોમાં બેઠા પીએમ મોદી 

પહેલી મે 1922ના રોજ દિલ્હી વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. વિશ્વવિદ્યાલયમાં અનેક કોલેજો તેમજ વિભાગો આવેલા છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યુનિવર્સિટીના સમારોહમાં પહોંચવા માટે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો સહારો લીધો હતો. મેટ્રો ટ્રેનમાં મુસાફરી પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.   


અનેક વખત પીએમ મોદી કરી ચૂક્યા છે મેટ્રોમાં સફર 

મહત્વનું છે કે આની પહેલા અમદાવાદની મેટ્રો ટ્રેનમાં તેમણે મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનનો જ્યારે પીએમ મોદીએ આરંભ કરાવ્યો તે જ દિવસે તેઓ મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને ત્યારે પણ સાથે મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તે સિવાય તેમણે પુણે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરી છે. વિદ્યાર્થીઓ સાથે તેમણે વાત કરી હતી. દર વખતે પીએમ મોદી ટિકિટ લઈને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક તસવીરો તે શેર કરતા રહે છે.   

ટિકિટ લઈ PM મોદીએ  પુણે મેટ્રોની કરી સફર, રસ્તામાં સ્કૂલના બાળકો સાથે કરી વાત, જુઓ તસવીરો

Ahmedabad Metro : PM મોદીએ મેટ્રો ટ્રેનમાં કરી સફર, તસવીરોમા જુઓ અંદરનો નજારો


અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.