દિલ્હીમાં સાહિલે લિવ ઇન પાર્ટનર નિક્કીને ઉતારી મોતને ઘાટ, લાશને ફ્રિઝમાં છૂપાવી બીજી છોકરી સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-02-15 13:06:57

જ્યાં લોકો હજી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસને ભૂલી નથી શક્યા ત્યાં ફરી એક વખત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. 24 વર્ષના યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેમની લાશને ફ્રિજમાં મૂકી દીધી. યુવકે બીજા લગ્ન કરી દીધા. જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ નિક્કી યાદવ હતું.     


ઘટના બાદ સાહિલે કરી લીધા લગ્ન  

થોડા સમયથી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી ફેંકી દીધા હતા. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત દિલ્હીમાં જ બની છે. લગ્ન માટે પ્રેમિકા દબાવ કરી રહી હતી. ત્યારે દબાણ વધતા સાહિલ ગેહલોત નામના યુવકે નિક્કી યાદવ નામની યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવકના લગ્નની વાત ચાલી રહી હતી તે વાતની જાણ નિક્કીને થઈ ગઈ જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. અને સાહિલે નિક્કીને મોતને ઘાટ ઉતારી. અને મૃતદેહને ફ્રિજમાં રાખી દીધો. લાશને ઢાબાના ફ્રિજમાં છૂપાળી ત્યાંથી નિકળી ગયો અને પરિવારની સહમતીથી બીજી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. 


પોલીસે સાહિલને પકડી પાડ્યો 

સાહિલે લગ્નના ત્રીજા દિવસે હત્યા અંગેની જાણ પોતાની પત્નીને કરી હતી. સાહિલે પત્નીને જણાવ્યું કે તેણે એક યુવતીની હત્યા કરી છે. પોલીસ તેને પકડી લેશે તેથી તું ઘરે પાછી ચાલી જા. સાહિલ લાશને ઠેકાણે લગાવે તે પહેલા પોલીસે મિત્રાઉં ગામથી સાહિલને પકડી પાડ્યો છે. આ મામલે હજી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.