દિલ્હીમાં સાહિલે લિવ ઇન પાર્ટનર નિક્કીને ઉતારી મોતને ઘાટ, લાશને ફ્રિઝમાં છૂપાવી બીજી છોકરી સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-02-15 13:06:57

જ્યાં લોકો હજી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસને ભૂલી નથી શક્યા ત્યાં ફરી એક વખત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. 24 વર્ષના યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેમની લાશને ફ્રિજમાં મૂકી દીધી. યુવકે બીજા લગ્ન કરી દીધા. જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ નિક્કી યાદવ હતું.     


ઘટના બાદ સાહિલે કરી લીધા લગ્ન  

થોડા સમયથી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી ફેંકી દીધા હતા. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત દિલ્હીમાં જ બની છે. લગ્ન માટે પ્રેમિકા દબાવ કરી રહી હતી. ત્યારે દબાણ વધતા સાહિલ ગેહલોત નામના યુવકે નિક્કી યાદવ નામની યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવકના લગ્નની વાત ચાલી રહી હતી તે વાતની જાણ નિક્કીને થઈ ગઈ જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. અને સાહિલે નિક્કીને મોતને ઘાટ ઉતારી. અને મૃતદેહને ફ્રિજમાં રાખી દીધો. લાશને ઢાબાના ફ્રિજમાં છૂપાળી ત્યાંથી નિકળી ગયો અને પરિવારની સહમતીથી બીજી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. 


પોલીસે સાહિલને પકડી પાડ્યો 

સાહિલે લગ્નના ત્રીજા દિવસે હત્યા અંગેની જાણ પોતાની પત્નીને કરી હતી. સાહિલે પત્નીને જણાવ્યું કે તેણે એક યુવતીની હત્યા કરી છે. પોલીસ તેને પકડી લેશે તેથી તું ઘરે પાછી ચાલી જા. સાહિલ લાશને ઠેકાણે લગાવે તે પહેલા પોલીસે મિત્રાઉં ગામથી સાહિલને પકડી પાડ્યો છે. આ મામલે હજી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.