દિલ્હીમાં સાહિલે લિવ ઇન પાર્ટનર નિક્કીને ઉતારી મોતને ઘાટ, લાશને ફ્રિઝમાં છૂપાવી બીજી છોકરી સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-02-15 13:06:57

જ્યાં લોકો હજી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસને ભૂલી નથી શક્યા ત્યાં ફરી એક વખત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. 24 વર્ષના યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેમની લાશને ફ્રિજમાં મૂકી દીધી. યુવકે બીજા લગ્ન કરી દીધા. જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ નિક્કી યાદવ હતું.     


ઘટના બાદ સાહિલે કરી લીધા લગ્ન  

થોડા સમયથી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી ફેંકી દીધા હતા. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત દિલ્હીમાં જ બની છે. લગ્ન માટે પ્રેમિકા દબાવ કરી રહી હતી. ત્યારે દબાણ વધતા સાહિલ ગેહલોત નામના યુવકે નિક્કી યાદવ નામની યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવકના લગ્નની વાત ચાલી રહી હતી તે વાતની જાણ નિક્કીને થઈ ગઈ જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. અને સાહિલે નિક્કીને મોતને ઘાટ ઉતારી. અને મૃતદેહને ફ્રિજમાં રાખી દીધો. લાશને ઢાબાના ફ્રિજમાં છૂપાળી ત્યાંથી નિકળી ગયો અને પરિવારની સહમતીથી બીજી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. 


પોલીસે સાહિલને પકડી પાડ્યો 

સાહિલે લગ્નના ત્રીજા દિવસે હત્યા અંગેની જાણ પોતાની પત્નીને કરી હતી. સાહિલે પત્નીને જણાવ્યું કે તેણે એક યુવતીની હત્યા કરી છે. પોલીસ તેને પકડી લેશે તેથી તું ઘરે પાછી ચાલી જા. સાહિલ લાશને ઠેકાણે લગાવે તે પહેલા પોલીસે મિત્રાઉં ગામથી સાહિલને પકડી પાડ્યો છે. આ મામલે હજી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.