દિલ્હીમાં સાહિલે લિવ ઇન પાર્ટનર નિક્કીને ઉતારી મોતને ઘાટ, લાશને ફ્રિઝમાં છૂપાવી બીજી છોકરી સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-02-15 13:06:57

જ્યાં લોકો હજી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસને ભૂલી નથી શક્યા ત્યાં ફરી એક વખત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. 24 વર્ષના યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેમની લાશને ફ્રિજમાં મૂકી દીધી. યુવકે બીજા લગ્ન કરી દીધા. જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ નિક્કી યાદવ હતું.     


ઘટના બાદ સાહિલે કરી લીધા લગ્ન  

થોડા સમયથી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી ફેંકી દીધા હતા. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત દિલ્હીમાં જ બની છે. લગ્ન માટે પ્રેમિકા દબાવ કરી રહી હતી. ત્યારે દબાણ વધતા સાહિલ ગેહલોત નામના યુવકે નિક્કી યાદવ નામની યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવકના લગ્નની વાત ચાલી રહી હતી તે વાતની જાણ નિક્કીને થઈ ગઈ જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. અને સાહિલે નિક્કીને મોતને ઘાટ ઉતારી. અને મૃતદેહને ફ્રિજમાં રાખી દીધો. લાશને ઢાબાના ફ્રિજમાં છૂપાળી ત્યાંથી નિકળી ગયો અને પરિવારની સહમતીથી બીજી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. 


પોલીસે સાહિલને પકડી પાડ્યો 

સાહિલે લગ્નના ત્રીજા દિવસે હત્યા અંગેની જાણ પોતાની પત્નીને કરી હતી. સાહિલે પત્નીને જણાવ્યું કે તેણે એક યુવતીની હત્યા કરી છે. પોલીસ તેને પકડી લેશે તેથી તું ઘરે પાછી ચાલી જા. સાહિલ લાશને ઠેકાણે લગાવે તે પહેલા પોલીસે મિત્રાઉં ગામથી સાહિલને પકડી પાડ્યો છે. આ મામલે હજી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.