ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
![]()
ધંધુકામાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કેમ કે , ધર્મેશ ભરવાડની હત્યાના ન માત્ર ધંધુકામાં પણ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે બે આરોપી સમીર અને રિઝવાનની અટકાયત કરી લીધી છે. હવે એક SIT એટલેકે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ધંધુકામાં મામલાની ગંભીરતાને જોતા અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત DYsp પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક SIT એટલે કે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. DYSP પ્રકાશ પ્રજાપતિની સાથે , બે PI રઘુ કર્મટિયા અને કરણ વિહોલ હશે. સાથે જ PSI HS ઝાલા પણ આ SITનો ભાગ હશે. આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા તમામ પુરાવા એકત્રિત કરશે.
![]()
અત્યારસુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછી , પોલીસ દ્વારા ૧૦૦ થી ૧૨૫ લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેકટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે , ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું. હાથમાં ઘાતક હથિયારો લઇને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલ્કતોને નિશાન બનાવી છે. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તો ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.






.jpg)








