ધંધુકાની બબાલમાં SITની રચના કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-19 18:15:39

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. 

ANI's Video on X

ધંધુકામાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કેમ કે , ધર્મેશ ભરવાડની હત્યાના ન માત્ર ધંધુકામાં પણ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે બે આરોપી સમીર અને રિઝવાનની અટકાયત કરી લીધી છે. હવે એક SIT એટલેકે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.  ધંધુકામાં મામલાની ગંભીરતાને જોતા અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત DYsp પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક SIT એટલે કે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. DYSP પ્રકાશ પ્રજાપતિની સાથે , બે PI રઘુ કર્મટિયા અને કરણ વિહોલ હશે. સાથે જ PSI HS ઝાલા પણ આ SITનો ભાગ હશે. આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા તમામ પુરાવા એકત્રિત કરશે. 

ANI's Video on X

અત્યારસુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારપછી , પોલીસ દ્વારા ૧૦૦ થી ૧૨૫ લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેકટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે , ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું. હાથમાં ઘાતક હથિયારો લઇને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલ્કતોને નિશાન બનાવી છે. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તો ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.