ધંધુકાની બબાલમાં SITની રચના કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-19 18:15:39

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. 

ANI's Video on X

ધંધુકામાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કેમ કે , ધર્મેશ ભરવાડની હત્યાના ન માત્ર ધંધુકામાં પણ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે બે આરોપી સમીર અને રિઝવાનની અટકાયત કરી લીધી છે. હવે એક SIT એટલેકે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.  ધંધુકામાં મામલાની ગંભીરતાને જોતા અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત DYsp પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક SIT એટલે કે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. DYSP પ્રકાશ પ્રજાપતિની સાથે , બે PI રઘુ કર્મટિયા અને કરણ વિહોલ હશે. સાથે જ PSI HS ઝાલા પણ આ SITનો ભાગ હશે. આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા તમામ પુરાવા એકત્રિત કરશે. 

ANI's Video on X

અત્યારસુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારપછી , પોલીસ દ્વારા ૧૦૦ થી ૧૨૫ લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેકટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે , ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું. હાથમાં ઘાતક હથિયારો લઇને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલ્કતોને નિશાન બનાવી છે. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તો ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.