ધોરાજીમાં રૂ. 450 ગેસ સિલિન્ડર આપવાની માગ કરતા પોસ્ટરો લાગ્યા, કોંગ્રેસનો સવાલ ગુજરાતને અન્યાય કેમ?


  • Published By :
  • Published Date : 2024-01-07 16:41:49

રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનના લોકોને 450 રૂપિયે ગેસનો બાટલો આપવાનો પહેલો વાયદો પુરો કર્યો પછી ગુજરાતમાં પણ હવે માગ બુલંદ બની છે. આજે ધોરાજીમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ધોરાજી શહેરમાં પોસ્ટરો લગાવી ગુજરાતની ભાજપ સરકારને રાજસ્થાનની તર્જ પર 450 રૂપિયામા ગેસ સિલિન્ડર આપવા માટે માગ કરવામાં આવી હતી.


ગુજરાત સાથે અન્યાય કેમ?


ધોરાજીમાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં ગુજરાત સરકારને સવાલ કરાયો હતો કે રાજસ્થાનમાં 450માં ગેસનો બાટલો તો ગુજરાતને અન્યાય કેમ? પોસ્ટરોના માધ્યમથી કોંગ્રેસે ભાજપની દુ:ખતી રગ પર હાથ મુક્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકારને ઘેરી હતી. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રજાનો અવાજ ઉઠાવતા સરકારને સવાલ કર્યા કે જો પાડોશી રાજ્યમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર અપાય છે તો પછી ગુજરાતના લોકોને કેમ નથી અપાતો? રાજસ્થાનમાં જે લોકોને 450 રૂપિયાના સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવી છે. આ લાભાર્થી મહિલાઓને પહેલા 500 રૂપિયે સિલિન્ડર મળતું હતું. જેમાં 10 ટકા જેટલો કપાત કરતા હવે 450 રૂપિયાનું સિલિન્ડર આપવામાં આવશે. યોજના મુજબ મહિનામાં એક સિલિન્ડર પર જ સબસિડી આપવામાં આવશે. હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સતા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના લોકો 3 દશકથી સરકારમાં ભાજપને ચૂંટે છે, તો પછી તેમને અન્યાય કેમ થઈ રહ્યો છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે