ધોરાજીમાં રૂ. 450 ગેસ સિલિન્ડર આપવાની માગ કરતા પોસ્ટરો લાગ્યા, કોંગ્રેસનો સવાલ ગુજરાતને અન્યાય કેમ?


  • Published By :
  • Published Date : 2024-01-07 16:41:49

રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનના લોકોને 450 રૂપિયે ગેસનો બાટલો આપવાનો પહેલો વાયદો પુરો કર્યો પછી ગુજરાતમાં પણ હવે માગ બુલંદ બની છે. આજે ધોરાજીમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ધોરાજી શહેરમાં પોસ્ટરો લગાવી ગુજરાતની ભાજપ સરકારને રાજસ્થાનની તર્જ પર 450 રૂપિયામા ગેસ સિલિન્ડર આપવા માટે માગ કરવામાં આવી હતી.


ગુજરાત સાથે અન્યાય કેમ?


ધોરાજીમાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં ગુજરાત સરકારને સવાલ કરાયો હતો કે રાજસ્થાનમાં 450માં ગેસનો બાટલો તો ગુજરાતને અન્યાય કેમ? પોસ્ટરોના માધ્યમથી કોંગ્રેસે ભાજપની દુ:ખતી રગ પર હાથ મુક્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકારને ઘેરી હતી. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રજાનો અવાજ ઉઠાવતા સરકારને સવાલ કર્યા કે જો પાડોશી રાજ્યમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર અપાય છે તો પછી ગુજરાતના લોકોને કેમ નથી અપાતો? રાજસ્થાનમાં જે લોકોને 450 રૂપિયાના સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવી છે. આ લાભાર્થી મહિલાઓને પહેલા 500 રૂપિયે સિલિન્ડર મળતું હતું. જેમાં 10 ટકા જેટલો કપાત કરતા હવે 450 રૂપિયાનું સિલિન્ડર આપવામાં આવશે. યોજના મુજબ મહિનામાં એક સિલિન્ડર પર જ સબસિડી આપવામાં આવશે. હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સતા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના લોકો 3 દશકથી સરકારમાં ભાજપને ચૂંટે છે, તો પછી તેમને અન્યાય કેમ થઈ રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.