Gujaratમાં ઠેર-ઠેર ડુંગળી પકવતા ખેડૂતો કરી રહ્યા છે વિરોધ, ક્યાંક ડુંગળીનું બેસણું રખાયું તો ક્યાંક નિકાળવામાં આવી અંતિમ યાત્રા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 15:03:10

નાના બાળકોને આપણે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણી થાળીમાં જે અનાજ આવે છે તેની પાછળ ખેડૂતોની મહેનત અને તેમનો પરસેવો હોય છે. જ્યારે અન્નનો બગાડ થાય છે ત્યારે આપણે એ ખેડૂતોની મહેનતને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એ જ ખેડૂતો રસ્તા પર ઉતરી આવે ત્યારે? ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ભાવનગરથી ગઈકાલે દ્રશ્યો સામે  આવ્યા હતા જેમાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે ડુંગળીનું બેસણું રાખ્યું છે.

ક્યાંક રસ્તા પર ડુંગળી ફેંકી તો ક્યાંક હાર પહેરી નોંધાવ્યો વિરોધ 

સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો આ નિર્યણનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જગતના તાતે વિરોધ દર્શાવ્યો છે. કોઈ વખત રસ્તા પર ખેડૂતો ડુંગળી ફેંકે છે તો કોઈ વખત ગળામાં ડુંગળીનો હાર પહેરી પોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. નિકાસ બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે ઉપરાંત ભાવનગરથી બીજો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડૂતો ડાખલા વગાડી વિરોધ કરતા હતા.   

ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં જમવાનું પહોંચે છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોના આર્થિક સ્થિતિ અંગેની વાત આવે છે ત્યારે તેમની સ્થિતિ કફોડી બનતી દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો પર મુસીબત આવી પડી છે કારણ કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ખેડૂતોએ કાઢી ડુંગળીની અંતિમ યાત્રા 

ડુંગળી પકવતા ખેડૂતો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરી રહ્યા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડુંગળીને રસ્તા પર ખેડૂતો ફેંકી રહ્યા છે. નિકાસબંધીનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેવી માગ કરી રહ્યા છે કે સરકાર આ નિર્ણયને પરત લે. ભાવનગરમાં સિહોર તાલુકામાં પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે ઘોઘા તાલુકામાં પણ ખેડૂતોએ ડુંગળીને લઈ વિરોધ કર્યો. ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. અંતિમ યાત્રા તો કાઢી પરંતુ સાથે સાથે સરકાર પર આરોપ પણ લગાવ્યા કે સરકારે ડુંગળીનો પાક બગાડી નાખ્યો. ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ક્યાંકથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ખેડૂતોઓએ ડુંગળીનું બેસણું રાખ્યું હતું.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.