Gujaratમાં ઠેર-ઠેર ડુંગળી પકવતા ખેડૂતો કરી રહ્યા છે વિરોધ, ક્યાંક ડુંગળીનું બેસણું રખાયું તો ક્યાંક નિકાળવામાં આવી અંતિમ યાત્રા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 15:03:10

નાના બાળકોને આપણે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણી થાળીમાં જે અનાજ આવે છે તેની પાછળ ખેડૂતોની મહેનત અને તેમનો પરસેવો હોય છે. જ્યારે અન્નનો બગાડ થાય છે ત્યારે આપણે એ ખેડૂતોની મહેનતને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એ જ ખેડૂતો રસ્તા પર ઉતરી આવે ત્યારે? ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ભાવનગરથી ગઈકાલે દ્રશ્યો સામે  આવ્યા હતા જેમાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે ડુંગળીનું બેસણું રાખ્યું છે.

ક્યાંક રસ્તા પર ડુંગળી ફેંકી તો ક્યાંક હાર પહેરી નોંધાવ્યો વિરોધ 

સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો આ નિર્યણનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જગતના તાતે વિરોધ દર્શાવ્યો છે. કોઈ વખત રસ્તા પર ખેડૂતો ડુંગળી ફેંકે છે તો કોઈ વખત ગળામાં ડુંગળીનો હાર પહેરી પોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. નિકાસ બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે ઉપરાંત ભાવનગરથી બીજો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડૂતો ડાખલા વગાડી વિરોધ કરતા હતા.   

ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં જમવાનું પહોંચે છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોના આર્થિક સ્થિતિ અંગેની વાત આવે છે ત્યારે તેમની સ્થિતિ કફોડી બનતી દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો પર મુસીબત આવી પડી છે કારણ કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ખેડૂતોએ કાઢી ડુંગળીની અંતિમ યાત્રા 

ડુંગળી પકવતા ખેડૂતો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરી રહ્યા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડુંગળીને રસ્તા પર ખેડૂતો ફેંકી રહ્યા છે. નિકાસબંધીનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેવી માગ કરી રહ્યા છે કે સરકાર આ નિર્ણયને પરત લે. ભાવનગરમાં સિહોર તાલુકામાં પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે ઘોઘા તાલુકામાં પણ ખેડૂતોએ ડુંગળીને લઈ વિરોધ કર્યો. ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. અંતિમ યાત્રા તો કાઢી પરંતુ સાથે સાથે સરકાર પર આરોપ પણ લગાવ્યા કે સરકારે ડુંગળીનો પાક બગાડી નાખ્યો. ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ક્યાંકથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ખેડૂતોઓએ ડુંગળીનું બેસણું રાખ્યું હતું.       



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે