Gujaratમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની બની ઘટના! Gandhinagarના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ રીતે નિપજ્યાં મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 11:10:42

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ મળે છે તે આપણે જાણીએ છીએ. દારૂ ક્યાં મળે છે તે પોલીસને પણ ખબર હોય છે પરંતુ પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે તે આપણે જાણીએ છીએ. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે થોડા સમય પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થવાની આશંકા સેવાઈ રહી છે. દેહગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે તેવી આશંકા છે કારણ કે ગઈકાલે તેમણે દેશી દારૂ પીધો છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બેથી ત્રણ લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે.       


બે વ્યક્તિના શંકાસ્પદ રીતે થયા મોત 

ગુજરાતમાં દારૂ આસાનીથી મળે તે વાત આપણે જાણીએ છીએ. કોઈ દેશી દારૂ પીવે છે અને કોઈ વિદેશી દારૂ પીવે છે. થોડા સમય પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના ગાંધીનગરમાં બની છે તેવી આશંકા સેવાઈ રહી છે. દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. લઠ્ઠાકાંડ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે લોકોના મોત થયા છે તેમનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદસિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. 108ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તે બાદ આખી ઘટના સામે આવી શકે છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .