Gujaratમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની બની ઘટના! Gandhinagarના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ રીતે નિપજ્યાં મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 11:10:42

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ મળે છે તે આપણે જાણીએ છીએ. દારૂ ક્યાં મળે છે તે પોલીસને પણ ખબર હોય છે પરંતુ પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે તે આપણે જાણીએ છીએ. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે થોડા સમય પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થવાની આશંકા સેવાઈ રહી છે. દેહગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે તેવી આશંકા છે કારણ કે ગઈકાલે તેમણે દેશી દારૂ પીધો છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બેથી ત્રણ લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે.       


બે વ્યક્તિના શંકાસ્પદ રીતે થયા મોત 

ગુજરાતમાં દારૂ આસાનીથી મળે તે વાત આપણે જાણીએ છીએ. કોઈ દેશી દારૂ પીવે છે અને કોઈ વિદેશી દારૂ પીવે છે. થોડા સમય પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના ગાંધીનગરમાં બની છે તેવી આશંકા સેવાઈ રહી છે. દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. લઠ્ઠાકાંડ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે લોકોના મોત થયા છે તેમનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદસિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. 108ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તે બાદ આખી ઘટના સામે આવી શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.