હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતાઓ કહ્યું પાર્ટીને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-08 12:15:31

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કુલ 26 નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.


જયરામ ઠાકુરે કર્યું કોંગ્રેસ નેતાઓનું સ્વાગત

હિમાચલમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 26 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ઘટનાને જે.પી.નડ્ડાના નિવેદન સાથે જોડાઈ રહ્યું છે

શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. તેમના આ નિવેદનને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે