હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતાઓ કહ્યું પાર્ટીને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-08 12:15:31

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કુલ 26 નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.


જયરામ ઠાકુરે કર્યું કોંગ્રેસ નેતાઓનું સ્વાગત

હિમાચલમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 26 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ઘટનાને જે.પી.નડ્ડાના નિવેદન સાથે જોડાઈ રહ્યું છે

શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. તેમના આ નિવેદનને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.