હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતાઓ કહ્યું પાર્ટીને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-08 12:15:31

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કુલ 26 નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.


જયરામ ઠાકુરે કર્યું કોંગ્રેસ નેતાઓનું સ્વાગત

હિમાચલમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 26 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ઘટનાને જે.પી.નડ્ડાના નિવેદન સાથે જોડાઈ રહ્યું છે

શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. તેમના આ નિવેદનને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.